SearchBrowseAboutContactDonate
Page Preview
Page 922
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૦) મદીરા પીવાથી ઉપજતા ગે. નેત્રવિકાર, મગજવિકાર, ફેફસાને વરમ, અંત:કરણ –કઠોકાળજુ અને મૂત્રાશયમાં કળતર, ગળ, ખીલ, મસા, રાતા ચાંદા, ચાંદી, લોહીનું જવું, કરમવિકાર, થુંકમાં લોહીનું જવું, સળેખમ, આંતરડાના રોગ, નસોના રાગ, દમ, ખાંસી, ઈદ્રિયની ગતિનુ મંદ પડવું, ગરમી, પક્ષઘાત, મૂછ, ઉન્માદ, દીવાનાપણું, સોજો, અજીર્ણ કમર, ધુજરી, લહેર, ધુન, કોલેરા, મધુપ્રમેહ, ચિત્તભ્રમ, પીત, ક્ષય, જળધર, સંધીવા, કમળે, દરિયાઈ રે, જઠરનું મંદપણું અરૂચિ, અતિ તરસ, બંધકોસ, ગડગુમડ, નામદ, દાંતનું સુજ્જડ થઈ જવું, આકસ્મિક મૃત્યુ, વંધાપણું જલદી પ્રાપ્ત થવું, પાંડુરંગ ભયંકર સ્વપનાં, ઇત્યાદિક અનેક પ્રકારના રોગ થાય છે. વળી પણ કહ્યું છે કે–જે તમારે ગરીબ થવું હોય, એટલે પૈસા વગરના થવું હોય, છેતરવાની મરજી હોય, તમારો પૈસે ઉડાવ હય, મિત્રના ધિક્કારને પાત્ર થવું હોય, અને છેલ્લે તમારે તમારા શરિરને જલદી નાશ કરવો હોય તે દારૂબજ થાએ, કેમકે દારૂ છે તે મતનું મુળીયું છે, માટે આવા દારૂના છાંટાંથી પણ છેટે રહેવું એ જ મહા સુખકારી છે. કહ્યું છે કે “જે પીયે સરાબ ઉસકા ખાના ખરાબ.” દહે–આબ ફળ પરિવારણું, મહ ફળે પત ખાય; તેહને રસ જે પીયે, તેમાં અક્કલ ન હોય. શાસ્ત્રોમાં સાતે વ્યસનને ત્યાગ કરવા માટે ભાર દઈ કહેલું છે માટે સમજીઓએ તેને સર્વથા ત્યાગ કરવો જોઈએ. તેમ બીજા પણ કુવ્યસન (કઈ પણ કેરી વસ્તુઓ) નહિ કરવા માટે વારે વારે નિષેદ કર્યો છે, તે ધ્યાનમાં રાખી ત્યાગ કરવા લક્ષ રાખવુંતે સમજ્યારે અને સાંભળ્યાને સાર છે. કેફી વસ્તુના દોષ અને કેફી માણસની હાલત માટે, જુઓ ડાહ્યા પુરૂષે શું કહે છે તે સાંભળે– કઈ પણ કેફના નિષેધ–કુંડળિયા. કાયા બગડે કેફથી, અવગુણ થાય અપાર; અલહિણ પણે પામી, ભાગે ભવને ભાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy