SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપધાન માટે ઉપયોગી ટુંકી હકીક્ત. ઉપધાન વહન કરાવનાર ગુરૂ–તે શ્રી મહાનિશિથ સૂત્રના પેગ વહન કરનાર અથવા ગણિ કે પંન્યાસ થયા હોય તે છે. તેમાં પણ જેમને શાસ્ત્રબોધ વિશેષ હોય, ક્રિયા કરાવવામાં પ્રવીણ હેય, શુદ્ધ અને પૂર્ણ ક્રિયા કરાવવાની રૂચીવાળા હોય, શુદ્ધ ચ. રિત્રપાત્ર હોય અને તેનું રહસ્ય સમજતા હોય એવા મુનિ પાસે ઉપધાન વહન કરવા ગ્ય છે, કે જેથી કરેલી ક્રિયા શુદ્ધ થવા સાથે તેના અંગે બીજા પણ અનેક લાભ થઈ શકે. આ ઉપધાને-ઉત્કૃષ્ટ ચૈત્યવંદનમાં અથવા દેવવંદનમાં આવતા સૂત્રોના વહન કરાય છે. ને તેના મુખ્ય છ વિભાગ છે. ૧ પ્રથમ ઉપધાન-પંચમંગળ મહાશ્રુતસ્કંધ તે (નવકાર)નું ૨ બીજું ઉપધાન-પ્રતિકમણકૃતકંધ તે (ઈરિયાવહી, તરસ ઉત્તરી) નું ૩ ત્રીજું ઉપધાન-શક્રસ્તવાધ્યયન તે (નમુથુણું)નું– ૪ ચોથું ઉપધાન-ચિત્યસ્તવાધ્યયન તે (અરિહંત ચેઈથાણું, અન્નથુ ઊસિએણું)નું – ૫ પાંચમું ઉપધાન-નામસ્તવાધ્યયન તે (લેગસ) નું ૬ છઠું ઉપધાન-શ્રુતસ્તવ, સિધસ્તવાધ્યયન તે(પુષ્કરવરદી અને સિધ્ધાણં બુધધાણું-વૈયાવચ્ચગરાણું) નું. પહેલાં આ ઉપધાન સંબંધીને તપ-બીજી રીતે કરવામાં આવતે, તે એવી રીતે કે – પહેલું અને બીજું ઉપધાન-૧૨-૧૨ ઉપવાસનાં હતાં અને તેના ૧૬-૧૬ દિવસે હતા. તે એવી રીતે કે પ ઉપવાસ, ૮ આંબિલ અને ૩ ઉપવાસ તે પ્રમાણે સેળ. ત્રીજું ઉપધાન–૧લા ઉપવાસનું ને તેના ૩૫ દિવસ હતા. તે એવી રીતે કે ૩ ઉપવાસ અને ૩ર આંબિલ તે પ્રમાણે પાંત્રીશ. પાંચમું ઉપધાન-૧પ ઉપવાસનું તેના ૨૮ દિવસ હતા. તે એવી રીતે કે-૩ ઉપવાસ અને પચીશ આંબિલ તે પ્રમાણે અઠાવીશ. ચોથું ઉપધાન-રા ઉપવાસનું ને તેના ૪ દિવસ, તે એવી રીતે કે ૧ ઉપવાસ અને ૩ આંબિલ તે પ્રમાણે ચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy