________________
: ૧૫ :
દેવી સ્ત્રીની કુખથી મહૂદેવ, વસ્તુપાળ અને તેજપાલ ત્રણ પુત્ર, અને જાહૂ, માઉ, સાઉ, ધનદેવી, સેહગા, વયજુ અને પદ્મા, એ સાત પુત્રીઓ હતી, વસ્તુપાલની સ્ત્રીનું નામ લલિતા ને તેજપાલની સ્ત્રીનું નામ અનુપમાં હતું. ( આ અનુપમા ઘણી જ બુદ્ધિશાળી હતી) માતા પિતાનું મરણ શત્રુંજયની યાત્રા ત્યાંથી વળતાં ધોળકામાં રાજગોર સમેશ્વરની પ્રેરણાથી રાજા વિરધવળને ત્યાં વસ્તુપાળ મંત્રીશ્વર અને તેજપાળ સેનાપતિ નિમાયા, તેમના આવવાથી રાજ્યમાં ઘણો સુધારો થયો ને રાજ્ય ઉંચ દરજજાનું થયું, તેમણે વીર ધવળના રાજ્યમાં રહી ઘણી લડાઈયા કરી જીત મેળવી છે, અને દક્ષિણમાં મહારાષ્ટ્ર સુધી તેમ આખા ગુજરાતમાં રાજસત્તા જમાવી હતી, તેમણે શ્રી શત્રુંજય અને ગિરનારને બારવખત સંઘ કાઢયે હતું, તેમના એક સંઘમાં સાત લાખ માણસો હતા, દર વરસે એક કરોડ રૂપીઆ સ્વામીભાઈની ભક્તિ માટે નિમ્યા હતા, તેમ દર વરસે લાખો રૂપીયા સોમનાથમાં ને કાશીદ્વારમાં એકલાવતા હતા, તેમણે સં. ૧૨૮૬ થી તે ૧૨૯૨ સુધીમાં (૩૧૩૭૨૧૮૮૦૦ ) દ્રવ્ય પુન્ય કામમાં ખરચ્યું તેની યાદી નીચે પ્રમાણે છે. ૧૩૦૦ જિનપ્રાસાદ શિખર બંધ, ૯૮૪ ઓષધશાળા કરાવી. ૩ર૦૨ જીર્ણોદ્ધાર કરાવ્યા. ૩૬ ગઢ બંધાવરાવ્યા. ૧૦૫૦૦૦ જિનબિંબ ભરાવ્યાં, ૯૦૦ કુવા કરાવ્યા. ૧૮૯૬૦૦૦૦૦ દ્રવ્ય શત્રુંજયમાં, ૪૬૪ વાગ્યે બંધાવરાવી. ૧૮૮૩૦૦૦૦૦ દ્રવ્ય ગિરનારજીમાં, ૪૦૦ પાણીની પરબ કરાવી. ૧૨૫૩૦૦૦૦૦ દ્રવ્ય આબુ તીથે, ૮૪ સરેવર બંધાવ્યા. ૩૬૦૦૦૦૦ દ્રવ્ય જ્ઞાન ભંડારમાં, ૧૦૦૦૦ મહાદેવના લીંગ સ્થાપ્યા ૭૦૦ ધર્મશાળાઓ કરાવી. ૮૪ મસીદ કરાવરાવી.
વસ્તુપાળ સં. ૧૨૯૮ માં વઢવાણ પાસે અંકેવાળીયા ગામમાં અને તેજપાળ સં. ૧૩૦૮ માં સ્વર્ગે ગયા.
પેથડશાહ, દેદાશાહ નિમાડ દેશના નાંદુરી ગામના ઘણા ધનવાન હતા, તેમને પેથડ નામે એક પુત્ર હતું, પિતાનું મરણ થયું ને ધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org