________________
: ૧૮૮: વળી પણ કહ્યું છે કે—જેને દાન, શીલ, તપ, ભાવ રૂપ ચાર પ્રકારના ધર્મ કર્યા નથી, પર ઉપકાર કર્યો નથી, વચન વાપરવા વડે જીવ યતના કરી નથી, જીન ભુવન કે જિન બિંબ કરાવ્યાં નથી, તેને પૂજવાને પ્રેમ કર્યો નથી, ઉપશમ ધારણ કર્યો નથી, તીર્થોની યાત્રા કરી નથી, જીનવચન અને ગુણવંતના ગુણે સુદયમાં ધારણ કર્યા નથી, અને શુદ્ધ વ્યવહારમાં ચિત્ત સ્થિર રાખ્યું નથી, એવા મનુષ્યને મનુષ્યજન્મ એળે ગયે સમજે, અથવા તે તેવાઓને હરણ જેવા સમજવા. - તે સાંભળી હરણ જોહ્યું કે-હું માંસ ખાતે નથી, મારૂ માંસ બીજાને ખાવા આપું છું, નાદમાં લીન રહું છું, મારા નેત્રોની ઉપમા સ્ત્રીને અપાય છે, મારું ચામડુ તાપસે વાપરે છે, શીંગડા જેગીઓ ગળે બાંધે છે, હું જમણ જાઉ ને ઉતરૂતો નવનિધાને આપના થાઉ છું, તેમ નાભીમાં કસ્તુરીને ધારણ કરું છું તે સાંભળી તે નિર્ગુણને ગાયની ઉપમા આપી.
તે સાંભળી ગાય બોલી કે-હું ઘાસ ખાઈ ઘી, દુધ આપું છું, વૈતરણી નદી ઉતારું છું. ઝરણથી વ્યાધિ ટાળું છું, દિવસે ગ્રહ દેખું છું, આંખમાં સદા પ્રકાશ રહે છે, અને પૂછડામાં તેત્રીશ કોડ દેવનો વાસ રહે છે, તે સાંભળી તે નિર્ગુણને ગધેડાની ઉપમા આપી. - તે સાંભળી ગધેડે બે કે—મારે છએ રૂતુ સરખી છે, ચંદન કે ગમે તે ભાર ભરો તે પણ સરખે છે, રાત દિવસ તૃણનું જ ભક્ષણ કરું છું, હું રીસ બીલકુલ રાખતો નથી, નિરંતર મુખ ઉજળું રાખું છું, મને કાગળીયું આવતું નથી, અને અમુક રીતે બેલું તો લાભ આપું છું; તે સાંભળી તે નિર્ગુણીને કાગડાની ઉપમા આપી.
તે સાંભળી કાગડો બે કે–પૂર્વે અમે તાપસ હતા, એમ જાણુને લેકે અમને પૂજે છે, ભેજન કર્યા પહેલાં અમને પૂર્વજ જાણે આહાર આપે છે, જળ કીનારે માળો બાંધું છું, મારે ભેગ છાને છે. હું કુટુંબનું પોષણ કરું છું, આકાશમાં ફરું છું. લેભ રાખતું નથી, કોઈને છેતરાયો છેતરાતા નથી, અને એ તજી દીધેલા એવા કાળા રૂપને ધારણ કરું છું. તે સાંભળીને તે નિર્ગુણીને બકરાની ઉપમા આપી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org