________________
: ૪૧ :
જજીવપર્યત આપણી પીઠ ઉપર બાંધે ચડાવી ફેરાવીયે તેમની આજ્ઞામાં ખરા અંતઃકરણપૂર્વક ચાલીયે, અને બીજા પણ જે જે સેવા કરવાના ઉત્તમ ઉપાય છે, તે તે સર્વ ઉપાયે કરી ભાવ ભક્તિ સહિત સેવા ચાકરી કરીયે, તે પણ તેમના એશીગણ થઈ શકીયે નહી, પરંતુ જે પોતાના માતા પિતાને કેવળી પ્રણતધર્મ બૂઝવીને પમાડી ધર્મને વિષે સ્થાપીયે, તે એશીગણ થઈએ.
કેઈ એક મહદ્ધિક પુરૂષ હોય તે કઈ દારિદ્રી પુરૂષની ઉપર ઉપકાર બુદ્ધિ આણીને તેને માટે મહદ્ધિક કરે, પછી કાલાંતરે કદાપિ અશુભ કર્મના ગે તે ઉપકાર કરનાર પુરૂષ દરિદ્રી અવસ્થાને પામે, તે વારે તેણે જેના ઉપર પ્રથમ ઉપકાર કરી મહદ્ધિક કીધો છે, તે પુરૂષ પિતાના સ્વામીને દરિદ્ર આવ્યું જાણી, જે પોતાની સમસ્ત લક્ષ્મી સપ્તાંગ સહિત આપી દીયે તે પણ તેને એશીગણ ન થાય, પરંતુ કેવળ પ્રણીત ધર્મ પમાડે તે એશીગણ થાય.
કોઈ પુરૂષ સાધુ ચારિત્રીયાદિકની પાસેથી કઈ ભલું ધર્મમય સુવચન સાંભળી તે મન માંહે ધારી શુભ ધ્યાનમાં રહ્યો થક કાળ કરી દેવતાપણે-ઉપજે, પછી તે દેવતા પિતાના ધર્માચાર્ય પ્રત્યે દુકાળ માંહે પડ્યો જાણી, તિહાંથી અપહરી સુકાળ માંહે લાવી મૂકે, અથવા અટવી માહે પડ્યો જાણીને વસ્તિને સ્થાનકે આણી મૂકે, અથવા રેગ આતંક પીડાયે પરાભવ્ય જાણીને રેગ આતંક રહિત નિરાબાધપણે કરે, તે પણ તે દેવતા પોતાના ધર્માચાર્યને એશીગણ ન થાય, પરંતુ કદાપિ તે ધર્માચાર્ય અશુભ કર્મના ભેગે કેવલિ પ્રણત ધર્મ થકી ભ્રષ્ટ થાય, તે વારે તેને કેવલિપ્રણીત ધમેં બુઝવી ધર્મમાં સ્થાપે, તો એશીગણ થાય.
ચાર વસ્તુ સંગ્રહ ધર્મના પ્રકાર–આચારધર્મ દયાધર્મ, ક્રિયા અને વસ્તુધર્મ
ધર્મ સું ચાર પ્રકારને, સાધે સમજી મર્મ. તીર્થંકરપણું – દેવ જ્ઞાન સાધારણ દ્રવ્ય, શાસને વૃદ્ધિ સદાય;
તીર્થંકર પદ તે લહે, શાસ્ત્ર તે સમજાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org