SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮ ) છે? માનને કે પરાજય કર્યો છે? માયાને કેવી દુર કરી છે? અને લેભને કે વશ કર્યો છે? ૧૫ અહો આપનું સરલપણું કેવું ઉત્તમ છે? અહો આપનું નમ્રપણું કેવું રૂડું છે, અહો આપની ક્ષમા કેવી ઉત્તમ છે? અને આપની સંતોષવૃત્તિ કેવી શ્રેષ્ઠ છે. ૧૬ હે ભગવંત ! આપ અહિં પ્રગટજ ઉત્તમ છે, વળી ઈચ્છા મનોરથવડે કરીને પણ ઉત્તમ છે અને અંતે પણ કર્મ મલને ટાળીને આપ મેક્ષ નામનું સર્વોત્તમ સ્થાન પામવાના છે, ૧૭ આચાર્ય મહારાજને કરેલ નમસ્કાર જીવને હજારે ગમે ભવ ભય થકી મુક્ત કરે છે અને તે ભાવ સહિત કરવામાં આવતે નમસ્કાર જીવને સમક્તિને લાભ આપે છે. ૧૮ ભાવાચાર્યને ભાવસહિત કરેલ નમસ્કાર, સર્વ પાપને પ્રક કરીને નાશ કરનારે થાય છે, અને તે સર્વે સંગલમાં ત્રીજું મંગલ છે. ઈતિ સેમસુંદર સૂરિકૃતિ. સંવિજ્ઞ સાધુ યોગ્ય નિયમ કુલક ભાવાર્થ. ૧ ત્રણ ભુવનને વિષે એક અસાધારણ પ્રદીપસમાન, શ્રી વીર પ્રભુને અને નિજ ગુરૂના ચરણ કમળને નમીને સર્વ વિરતિવંત સાધુ જનને વેગ્ય, સુખે નિર્વહિ શકાય એવા નિયમેને હું (સોમસુંદર સૂરિ) કહીશ. - ૨ યોગ્ય નિયમનું પાલન કર્યા વગરની દીક્ષા, ફક્ત નિજ ઉદર પૂરણા કરવારૂપ આજીવિકા ચલાવવા માત્ર ફળવાળી કહી છે. એવી દીક્ષા તો હોળીના રાજાની જેમ સહુ કોઈને હસવા યોગ્ય બને છે. ૩ તે માટે પંચાચાર ( જ્ઞાન-દર્શન-ચારિત્ર–તપ–વીર્ય)ના આરાધન હેતે લેચાદિક કઠણ નિયમે ગ્રહણ કરવા જોઈએ કે જેથી લીધેલ દીક્ષા સફળ થાય. જ્ઞાનાચાર સંબંધી નિયમ. ૪ જ્ઞાન આરાધન હેતે મહારે હમેશાં પાંચ ગાથાઓ ભણવી કંઠાગ્ર કરવી અને પરિપાઠીથી (ક્રમવાર) પાંચ પાંચ ગાથાને અર્થ ગુરૂ સમીપે ગ્રહણ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy