________________
( ૧૭૮ ) સાધુએ પાટ, પાટલા, ઘડા, પરાત વિગેરે જે જે જોઈએ તે તે ગુસ્થાના ઘેરથી જાચી જાતે ઉપાડી લાવવા તેમ કામ પુરૂ થયે જાતે ઉપાડી પાછા આપી આવવા તે આચારાંગ વિગેરેમાં કહ્યું છે.
સાધુએ કપડાં કામળી પાત્રો વિગેરે, જે જે જોઈએ તે તે ગૃહસ્થના ઘર અગર દુકાને, જાતે જઈ જાચીને વહોરી લાવવાં તે આચારાંગ વિગેરેમાં કહ્યું છે.
સાધુને વ લેવાનો વિધિ.
વચ્ચેના ત્રણ પ્રકાર. ત્રણની સમજ-સુતર સહી એકેંદ્રિથી, કીડે રેશમ કહાય;
કાંબળ કહી પંચેંદ્રિથી, વસ્ત્રો ત્રણ વદાય. વસ્ત્રો-સુતરાઉ, રેશમી ને ઉનના એમ ત્રણ પ્રકારના છે. યથા કૃતિ તે આખું અલ્પ પરિકર્મ તે એક સાંધો આવે તે બહુલ પરિકમે તે ઘણું સાંધાવાળું, (પહેલાના અભાવે બાજુ ને તેના અભાવે ત્રીજુ લેવું,) સાધુ અર્થે વસ્યું ન હોય, સાધુ અર્થે વેચાતું લીધું ન હોય, પિતાના પુત્ર કલત્ર પાસેથી છીનવી લીધું ન હોય, વેપારીની દુકાનેથી ઘરે લાવેલું, સ્વગામથી કે પરગામથી લાવેલું, પ્રામિત્ય તે (બીજાનું ઉછીનું લઈ આપે તે) પિંડ વિશુદ્ધિના દેષ રહિત, અવિશેધી કટિ તે સાધુ અર્થે વણાવ્યું છે, અને જે ધવરાવવું પ્રમુખ સાધુ અર્થે કરાવે તે વિશેદ્ધિ કટિ, ઈત્યાદિક દોષ રહિત હોય તે સાધુને લેવું કલ્પ. હવે તે કલ્પનીયમાં પણ સારૂ નઠારૂં વસ્ત્ર બતાવે છે.
અંજન તે સુરમે, ખંજન તે દીપ માળ, કદમ એટલે કાદવ અથવા ગાડી પ્રમુખની મળી (ઉંગ) ઉંદર કે ઉધઈએ કરડેલું, બળેલું તુનેલું, બેબીથી કાંકરાથી કુટાયેલું, છીદ્ર પડેલું ને જીર્ણ થયેલું, તેને ભલે ભુંડે વિપાક દેખાડે છે.
તે વસ્ત્રના નવ ભાગ કરવા–ચાર ખુણ દેવતાના છે, બે છેડા મનુષ્યના છે, બે કીનારીના ભાગ અસુરના છે ને વચમાં એક ભાગ રાક્ષસનો છે. ચાર ખુણાના ભાગમાં અંજનાદિક હાય તો સારા, બે છેડે હોય તો સમઘાત, બે કીનારે હોય તો ગ્લાનત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org