SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) ૧૫ અલાભ-ગ્રહસ્થના ઘેર યાચના કરવા જાય, તેના ઘરમાં વસ્તુ હોય છતાં ન આપે તેપણ, માઠું લગાડે નહિ તેમ શ્રાપ આપે નહી, પણ મનમાં સંતોષ ધારણ કરે તે. ૧૬ રેગ-જે તે આહાર કરવાથી રોગ થાય, તેથી બહુ વેદના થાય તો પણ, જિનકલ્પી સાધુ ઔષધ કરાવે નહી, અને હાલના સાધુએ આગમમાં કહ્યા પ્રમાણે થોડા પાપવાળું ઐષધ કરાવે અને મનમાં કર્મના વિપાક ચિંતવે પણ ખેદ ન કરે તે. ૧૭ તૃણફાસ-ડાભની શય્યાએ સુતાં તૃણને અગ્રભાગ ખુંચે તેથી વેદના થાય તે સંભાવે સહન કરે તે. ૧૮ મી-તૃણસ્પર્શથી અને પરસેવાના સોગથી મેલ થાય, શરીર બંધાય તે પણ નહાવાની ઈચ્છા કરે નહિ, અથવા હું કયારે છુટીશ એવી પણ ઈચ્છા ન કરે તે. ૧૯ સત્કાર-પિતાને આદરસત્કાર ઘણે થતો જઈ, મનમાં ગર્વ ન આણ પણ જ્ઞાન, દર્શન, ચારિત્રનું મહાત્મ વિચારવું. ૨ પ્રજ્ઞા–પિતાને જ્ઞાનાવરણયકર્મના ક્ષોપશમથી બહુશ્રુતપણું પ્રાપ્ત થાય તે પણ ગર્વ ન કરે. ૨૧ અજ્ઞાન-જ્ઞાનાવરણીય કર્મના ગાઢ ઉદયથી જ્ઞાન પ્રાપ્ત ન થાય, તે પણ જ્ઞાનાભ્યાસ પ્રત્યે ખેદ ન કરવો તે. ૨૨ સમ્યકત્વ-અનેક દર્શનના વિચિત્ર મતમતાંતરે સાંભળી, આસત્ય હશે કે આ સત્ય હશે ઈત્યાદિ વ્યાહ ન પામ અથવા અનેક ઉપસર્ગ પ્રાપ્ત થતાં પણ સર્વજ્ઞ કથિત ધર્મની દઢતાથી ચલાયમાન ન થવું તે. બાવીશ પરીસહન ભાવ મનહર છંદ, બાવીશમાં શીત ઉષ્ણ ચર્ચા ને નિષિધા ચાર, સાથે ચાર હાય નહી તેવું જણાવાય છે; પણ તેના પ્રતિપક્ષી બેઉ સાથે રહે માટે, એક પ્રાણી સાથે વિશ પરીસહ પાય છે, પરીસહે માંહે પણ સ્ત્રી પજ્ઞા સત્કાર ત્રણ, અનુકૂળ અને બાકી પ્રતિકૂળ થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy