________________
( ૨૧ ) અકબર બાદશાહને પ્રતિબધી જૈન ધર્મની ઘણું ઉન્નત કરી, તેમ બાદશાહને દેવ-ગુરૂ-ધર્મનું સ્વરૂપ સારી રીતે સમજાવ્યું.
૫૯ વિજયસેનસૂરિ–જન્મ. ૧૬૦૪, દીક્ષા. ૧૬૧૩, પંડિત, ૧૬૨૬.ઊપાધ્યાય ૧૬૨૮, ભટ્ટારક ૧૬પર, સ્વર્ગ ૧૬૭૧ તેમના શિષ્યએ જહાંગીર બાદશાહ પાસેથી સારાં ફરમાને કરાવી લીધા છે. સાંગણના સુત હિત શિક્ષાને રાસ કરતા, ઋષભદાસ તેમના વખતમાં થયા, તેમને ગુરૂ માનતા તે રાસ ૧૬૭૦ માં પુરો કર્યો.
૬૦ વિજયદેવભુરિ–જન્મ ૧૬૩૪. દીક્ષા ૧૬૪૩, સૂરિ ૧૬૫૬. સ્વર્ગ ૧૬૮૧
૬૧ વિજયસિંહસુરિ–જન્મ ૧૬૪૪. ઉપાધ્યાય. ૧૯૭૩ સૂરિ ૧૬૮૨, સ્વર્ગ ૧૭૦૮-૬૧ મી પાટે વિજયપ્રભસૂરિ થયા. તેમને જન્મ સં. ૧૬૭૫, દીક્ષા ૧૬૮૯, ઊપાધ્યાય ૧૭૧૦, ભટ્ટારક ૧૭૧૩, સ્વગ ૧૭૪૯ તેમના વખતમાં સં ૧૭૦૯માં લવજીએ દુંદ્રક (સ્થાનકવાસી) મત ચલાવ્યું તે એવી રીતે કે સુરતના દશાશ્રીમાળી, વહેરા વીરજીની બાળવિધવા દીકરી પુલાએ, લવજી નામના છોકરાને ખેળે લીધે, તે લંકાના ઉપાસરે યતિબજરંગ પાસે ભણ્ય, વૈરાગ્ય થવાથી તેમની પાસે દીક્ષા લીધી, તે બે વર્ષ પછી ગુરૂને કહે કે તમે આગમ પ્રમાણે ચાલતા નથી, ગુરૂએ સમજાવ્યો પણ કહે કે તમે ભષ્ટાચારી છે, કહી લી. ભૂણ ને સુખજી નામના બે યતિ લઈને નીકળ્યો, ત્યાંથી થોડે થોડે તે ધર્મ વધતે ગયે. તે આજ સુધી ચાલે છે.
૬૨ સત્યવિજયગણે –તેમને જન્મ સપાદલક્ષદેશમાં લાડલું ગામમાં થયે, ૧૪ વર્ષની ઉમરે દીક્ષા લીધી, સં. ૧૭૨ક માં વિજયપ્રભસૂરિ હસ્તક પંન્યાસ પદવી લીધી, સં. ૧૭૫૬ માં કાળ કર્યો, તેમને જ વિજય ઉપાધ્યાય સાથે મળી કિરિયા ઉદ્ધાર કર્યો, તેઓ ઘણા ત્યાગી, વૈરાગી તપસ્વી હતા, તેઓ આનંદઘનજી મહારાજની સાથે જંગલમાં જ રહેતા, પછી વૃદ્ધાવસ્થાયે ચાલવાની શક્તિ ન હેવાથી પાટણમાં રહ્યા, સત્યવિજય ગણી, જસવિજય ઉપાધ્યાય ને આનંદઘનજી આ ત્રણે મહાપુરૂષે સતરમા સૈકામાં સાથે થયા છે, તેમને કપૂરવિજય ને કુશલવિજય બે શિષ્ય હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org