SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૪ ) કાંઈ ફળસદેહ રહે, સાધનેને અભાવ, તેમ બાહ્ય આત્યંતર વિઘો આવી પડે તેથી છૂટવા પ્રયત્ન કરે, તેમાં સીધે કે આડકતરી રીતે વિજય મેળવે તે ત્રીજી અવસ્થા. ૪ સિદ્ધિ –એટલે પૂરેપૂરે સિદ્ધ થવું તે, ચિતારે એકાગ્રતાપૂર્વક, શુદ્ધસાધનેથી ચિત્ર સારું કરે છે, તે જ રીતે ફળની સિદ્ધિ પ્રાણિધાન, પ્રવૃત્તિસાધન અને વિજયમાંથી ઉત્પન્ન થઈ આવે છે, તેવા શુભ સાધનેથી મેળવાય તે સિદ્ધિ કહેવાય તે ચેથી અવસ્થા. ૫ વિનિયોગ––એટલે પાત્રમાં રોજના કરવી, અર્થાત ફળ મેળવીને કૃતકૃત્ય થવા છતાં, અન્ય પાત્ર પ્રાણીઓને ઉપદેશ આપી શુભ પ્રવૃત્તિમાં જોડવા, તે પાંચમી અવસ્થા. શુભ ક્રિયાની આ પાંચ અવસ્થા સમજીને કરાતી કિયા વિશેષ શુદ્ધ બનતી જાય છે, અને અનાદિ સંસાર વાસનાનું જોર હઠાવીને કેવળ લોકરંજન અર્થે અને લોક પ્રવાહે થતી કિયાએને અટકાવી સફળ ક્રિયામાં દેરે છે. આમાં પ્રથમની ત્રણ અવસ્થા કારણરૂપ છે, જેથી કાર્યરૂપ છે અને પાંચમી કાર્યના પરિણામરૂપ છે. એ સિવાય ક્રિયાના ફળને વિનાશ કરનાર, ચિત્તના મોટા આઠ છે, તે જાણુને ત્યાગવા ખપ કરવાની જરૂર છે-જીવ અનાદિ કાળથી દ્રવ્યાદિકની લાલસાથી સંસારવૃદ્ધિના હેતુભૂત પાપારંભના કાર્યો તેમ કર્મ બંધ કરાવનાર અશુભ પ્રવૃત્તિઓમાં જ્યારે બીલકુલ કંટાળે કે અરૂચિ લાવ્યા સિવાય ચિત્તની ચકેરતાથી મચ્ચે રહે છે, ત્યારે એકાંત હિતકારણે કર્મનિર્જરાના હેતુભૂત શુભ પ્રવૃત્તિઓ કરતી વખતે પ્રમાદ અને ચંચળતાને અનુભવ કરે છે, એ જીવની અજ્ઞાનતાનું જ કારણ છે. એ આઠ દેષ-૧ ખેદ (કંટાળે.) ૨ ઉદ્વેગ (અરૂચિ) ૩ ભ્રમ (બ્રાંતિ) ૪ અશાંત વાહિતા (અશાંતિ.) પક્ષેપ (બીજી બીજી કિયામાં મનનું દેડવું.) ૬ આસંગ (ચાલુ સ્થિતિમાં જ સંતોષમાંની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy