________________
( ૭૮ ) નવ સ્મરણ
મનહર છંદ. પહેલે પઢે નવકાર, ચૌદ પૂરવનું સાર,
ઉવસગ્ન હરપછી, સંતિકર આવે છે; તિજ્ય પહુત વર, નમિઉણ ભયહર,
અજિત શાંતિને સ્મર, સુખરૂપ થાવે છે; ભક્તામર ભયવારે, કલ્યાણ મંદિર સારે,
બૃહત શાંતિ સંભારે, દુઃખને દબાવે છે; નવ સ્મરણને નીત્ય, ગણો ચહિ એક ચિત્ત,
મહામંત્રથી લલિત, પરં પદ પાવે છે. ૧ નવકારથી લાભ-નવપદ છે નવકારમાં, પદે પચ્ચાસ પલાય;
પુરા નવકારે પાંચ, સાગર પાપ છેદાય. ચોક પૂરવનું સાર શુભ, મહા મંત્ર નવકાર;
સેવે ભવિચણ સાદરે, ભાગે ભવને ભાર. શ્રી સિદ્ધાચળજીની નવ ટુક-તે આદીશ્વર ભગવાનની ટુંક સાથે જ ગણાય છે.
મનહર છંદ. પહેલી ટુંકે ચૌમુખજી સદા સેમચંદની તે,
બીજી છીપાવશી ત્રીજી શાકરશાની તે છે, ઉજમબાઈની ચેથી નંદીશ્વર રચનાની,
હેમાભાઈની તે પછી ટુંક પાંચમી તે છે;
૧ પ્રથમ ચૌમુખજીની ટુંકને ખડતરવશી પણ કહે છે. આ ટુંકમાં પેસતાં
જમણી તરફ જે નરસી કેશવજીની ટુંક લખી છે તે ગણાતી નથી. ૨ શાકરચંદ પ્રેમચંદની ટુંક છે તે શેઠ મગનભાઈ કરમચંદના પૂર્વ
પુરૂષનાં નામની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org