SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૩ ) આઠે કર્મને સ્વભાવ ૧ પાટા જેવું-એટલે જેમ પાટો બાંધ્યું હોય તે કાંઈ દેખાય નહિ, તેમ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જ્ઞાન આવડે નહિં. તે જ્ઞાનાવરણીય કર્મ આત્માના અનંતજ્ઞાનગુણને આવરે છે. ૨ પિળીયા જેવું–એટલે જેમ કે રાજાનું દર્શન કરવા ઈચછે પણ જે પિળીયે રેકે તે દર્શન થઈ શકે નહિ, તેમ જીવ દર્શનાવરણીય કર્મના ઉદયથી કાંઈ દેખી શકે નહિ. તે દર્શનાવરણીય કર્મ આત્માના અનંતદર્શનગુણને આવરે છે. ૩ મધથી ખરડી તરવારની ધાર ચાટવા જેવું એટલે જેમ મધવાળી તરવારની ધાર ચાટતાં મીઠી લાગે પણ જીભ કપાવાથી દુઃખ થાય, તેમ વેદનીય કર્મ પરિણામે દુઃખરૂપ પુદ્ગલિક સુખે આપી આત્માના અવ્યાબાધ સુખને આવરે છે. ૪ મદિરા જેવું એટલે જેમ મદિરા પીનાર માણસને હિતા હિતનું ભાન હેતું નથી, તેમ મેહનીય કર્મના ઉદયથી તત્વની શ્રદ્ધા થતી નથી. તે કર્મ જીવના અનંતચારિત્રગુણને આવરે છે. ૫ હેડ જેવું–એટલે જેમ હેડમાં પડેલે માણસ મુદત પુરી થયા સિવાય નીકળી શકે નહિ, તેમ તે આયુકર્મ કાંઈ સુખ-દુખ કરી શકતું નથી, પરંતુ ચાર ગતિના વિષે સુખ-દુઃખના આધારભૂત જે શરીર તેમાં હેડની પેઠે જીવને રાખે છે. જેમ અશુભગતિ ભગવતે જીવ ત્યાંથી નીકળવા ઈછે પણ આયુ પૂર્ણ થયા વિના નિકળી શકે નહિ. એ કમને જીવના અવિનાશીગુણને રોકવાને સ્વભાવ છે. ૬ ચિતારા જેવું એટલે જેમ ચિતારે નવાં નવાં રંગબેરંગી ચિત્ર ચિત્રે છે, તેમ નામકર્મ જીવને દેવતા, મનુષ્યાદિક સારા રૂપ કરે તેમ નર્ક-એકે ક્રિયાદિક માઠાં રૂપ અનેક પ્રકારનાં કરે. એ કમને જીવના અરૂપીગુણને રોકવાને સ્વભાવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy