________________
= ૯૩ =
શું થયું તપ અને તીર્થ કીધા થકી, શું થયું માળ ગ્રહી નામ લીધે; શું થયું તિલક ને તુલશી ધાર્યા થકી, શું થયું ગંગાજળ પાન કીધે.
જ્યાં લગી છે ૩ છે શું થયું વેદ વ્યાકરણ વાણી વદે, શું થયું રાગ ને રંગ જાણે; શું થયું ખટ દરશન સેવા થકી, શું થયું વરણના ભેદ આણે.
જ્યાં લગી છે ૪ છે એ છે પ્રરપંચ સહુ પેટ ભરવાતણું, આત્મારામ પરિબ્રહ્મ ન જોયે; ભણે નરસૈયે એક તત્વદર્શન વિના, રત્ન ચિંતામણું જન્મ છે.
જ્યાં લગી છે ૫ છે
૧૪૯ વૈષ્ણવ કેવા હોવા જોઈએ. આશાવરી-શ્રી તીરથ પદ પૂજે ભવિજન–એ દેશી. વૈષ્ણવ જન તે તેને કહીયે, જે પીડ પરાઈ જાણે પર દુઃખે ઉપકાર કરેને, મન અભિમાન ન આણે રે. ૧૦ ૧ સકલ લેકમાં સહુને વંદે, નિંદા તે ન કરે કેની વાચ કાચ મન નિશ્ચયરાખે, ધન્ય ધન્ય જનની તેની. વૈ૦ ૨ સમદષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેહને માત રે, છë થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથરે. વૈ૦ ૩ મેહ માયા વ્યાપે નહિ તેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રામ નામ શું તાલીરે લાગી, સકલ તીર્થ તેના તનમાં રે. વૈ૦ ૪ વણ લેભી ને કપટ રહીત છે, કામ ક્રોધને નિવારે ભણે નરસૈયે તેનું દર્શન કરતાં, કુલ ઈકોતેર તારેરે. વૈ૦ ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org