________________
સર્વવિરતિ–જે સાધુ મુનિરાજ પાળે તે ચારિત્ર સામાયિક
આ વ્યવહાર નથી સામાયિક કહ્યું, નિશ્ચય મતે તો ભગવતી સૂત્રમાં આત્માજ સામાયિક આત્માના સ્વરૂપમાં રહ્યો થકે ઉપશમ જ કરી રાગદ્વેષરૂપ મેલને ધોઈ નાખે, આત્મ પરિણતી આદરે પર પરિણતી નિવારે તે નિશ્ચય સામાયિક કહેવાય.
સામાયિકના આઠ પ્રકાર દહે–સમભાવ સમયિક અને, સમવાયને સમાસ
સંક્ષેપ અનવય પરિજ્ઞા, પ્રત્યાખ્યાન દશ ખાસ.
છે તેને વધુ ખુલાસે. સમભાવ–સમતાભાવ રાખ તે. સમચિક–સર્વ જીવ ઉપર દયાભાવ રાખ તે. સમવાય–રાગ દ્વેષ તજીને યથા વ્યવસ્થિત વચન બોલવું તે. સમાસ –થોડા અક્ષરમાં તત્વનું જાણવું તે. સંક્ષેપ –થોડા અક્ષરમાં કર્મનાશ થાય એવો અર્થ વિચારે તે. અનવય –પાપ રહિત સામાયિક આદરવું તે. પરિણા –જે સામાયિકમાં તત્વનું જાણપણું હોય તે. પ્રત્યાખ્યાન–પરહરી વસ્તુને ત્યાગ કરવો તે.
આ આઠ ભેદ ઉપર આઠ કથાઓ છે, તે બીજા ગ્રંથથી જાણવી. સામાયિક જાણીને હમેશાં સત્સંગ કરે. તે સત્સંગ બે પ્રકાર છે. એક ઉત્તમ સાધુજનને સંગ અને બીજે ઉત્તમ શ્રાવકજનને સમાગમ. સત્સંગના લાભ વિષે નીચેના પદો વાંચે.
સંગત આશ્રયી પદ,
કુલ ફકીરી કરે, આશમશા મીયાં –એ દેશી. જેવા સંગે સરે તે લાભ તે જન તેથી કરે-એ ટેકો ઉત્તમ જનને સંગ આપણને, ઉત્તમ આપે કરે, તે સંત સજન સંગે શાંતિ સારી, શાંતિ સંતાપ હરે. તે દુર્જન સંગે દુ:ખને વધારે, દુ:ખમાં દુઃખને ભરે તે પય પાન જઈ કરીયું પીઠામાં, દુનિયે દારૂ ઠરે. તે ગઈવે ઘોડાને શીખવીયું, શકટ તે આપ સરે, તે ઘેડે બેલને આપી કુબુદ્ધિ, ફેરા હળમાં ફરે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org