SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ બતાવેલા પરમાર્થ સામે પ્રષ્ટિ રાખી રહેતા) ઘાતિકર્મોને ક્ષય કરી ( શુદ્ધ નિર્મળ ભાવથી) કેવળજ્ઞાન પામ્યા. હાથોના સ્કંધ ઉપર અરૂઢ થયેલા મરૂદેવીમાતા, કાષભદેવ સ્વામીની-ઋદ્ધિ-સિદ્ધિ દેખીને તત્કાળ શુભ ધ્યાનથી અંતકૃત કેવળી થઈ એક્ષપદ પામ્યા. જંઘાબળ જેનું ક્ષીણ થયું છે એવા અણિકા પુત્ર આચાર્યની સેવા (ઉચિત વૈયાવચ્ચ) કરતાં જેને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું તે પુરપચૂલા સાઠવીને પુન: પુન: નમસ્કાર હો ? ગૌતમસ્વામીએ જેમને દીક્ષા દીધી છે અને શુભ ભાવવડે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે એવા પંદરસો તાપને નમસ્કાર છે. પાપી પાલકવડે યંત્રમાં પીલાતા છતાં, જીવને શરીરથી જુદા જાણુંને સમાધિ પ્રાપ્ત થયેલા, જેમને કેવળજ્ઞાન પેદા થયું છે, તે સ્કંદગસૂરિના સઘળા શિષ્યને નમસ્કાર હો ? શ્રી વર્ધમાન સ્વામીનાં ચરણને સિંદુવારના ફૂલથી પૂજવાને ઈચ્છતી દુર્ગાતા નારી, શુભ ભાવવડે કાળ કરીને દેવગતિમાં ઉપઅને સુખી થઈ. એક દેડકે પણ ભાવથી ભુવનગુરૂ શ્રી વર્ધમાન સ્વામીને વાંદવા ચાલ્યું, ત્યાં માર્ગમાં ઘડાની ખરી નીચે કચરાઈ મરણ પામીને, નિજનામાંકિત–દરાંક નામે દેવતા થયા. વિરત સાધુ અને અવિરત શ્રાવક (રાજા) જે બંને સગા ભાઈ હતા. તેમને ઉદ્દેશીને આ સાધુ સદાય ઉપવાસી હોય અને આ શ્રાવક સદાય બ્રહ્મચારી હોય તે, અમને હે નદીદેવી માર્ગ આપજે, એમ ઉક્ત મુનિને વંદન કરવા જતાં અને પાછા વળતાં માર્ગમાં પાણીના પૂરથી ભરેલી નદીને, સંબંધી તે શ્રાવકા ( રાણીઓ) એ કહે છતે તેમના સાચા ભાવથી નદીએ તેમને તરતજ પેલે પાર જવા દેવા માટે માર્ગ કરી આપ્યો હતો. શ્રી ચંડરૂક ગુરૂવડે ડંડ પ્રહારથી તાડન કરાતો એ તેને (શાન્ત) શિષ્ય, શુભ લેશ્યાવંત છતો તત્કાળ કેવળજ્ઞાન પામ્યો. સમિતિ ગુપ્તિવંત સાધુઓને કવચિત્ જીવન વધ થઈ જાય છે, તે પણ જે તેમને નિચે બંધ કહ્યો નથી, તેથી તેમાં ભાવજ પ્રમાણ છે પણ કાયવ્યાપાર પ્રમાણ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy