SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ જેના વડે નિકાચિત કર્મોને પણ ધ્વંસ કરી શકાય છે, એવા યથાવિધ નિયાણું રહિત કરેલા તપની અમે કેટલી પ્રશંસા કરીએ? અઢાર હજાર મુનિઓમાં અતિ દુષ્કર તપ કરનાર ક્યા સાધુ છે? એમ કૃષ્ણ એકદા પૂછયે છતે નેમિપ્રભુએ જે મહાશયને વખાણ્યા તે ઢઢણમુનિ (સદાય) સ્મરણીય છે. પ્રતિ દિવસ (ભૂતવેશથી) સાત સાત જણને વધ કરીને છેવટે વીરપ્રભુ પાસે દીક્ષા ગ્રહી, જે ઘેર-દુષ્કર અભિગ્રહ પાળવામાં ઉજમાલ થયા, તે અજુનમાળીમુન સિદ્ધિપદ પામ્યા. નંદિશ્વર નામના આઠમા દ્વીપે તથા રૂચક નામના તેરમાં દ્વીપે તેમજ મેરૂપર્વતના શિખર ઉપર એક ફાળે કરી જ ઘાચરણ અને વિદ્યાચરણ મુનિઓ તપના પ્રભાવે જઈ શકે છે. શ્રેણિકરાજાની પાસે વીર પરમાત્માએ જેમનું તપોબળ વખાયું હતું, તે ધન્નોમુનિ (શાલિભદ્રના બનેવી) અને ધન્નો. કાકંદી બંને મુનિઓ સર્વાર્થ સિદ્ધ વિમાને ગયા. - બાષભદેવ સ્વામીની પુત્રી સુંદરીએ ૬૦ હજાર વર્ષ પર્યત કાયમ આંબિલ તપ કર્યો, તે સાંભળી કહો ! કનું હૃદય કંપ્યા વગર રહેશે? (પૂર્વ ભવમાં) શિવકુમારે બાર વર્ષ પર્યત આંબિલ તપ કર્યો હતો. તેના પ્રભાવથી થયેલ જબુકુમારનું અદ્દભુતરૂપ દેખીને શ્રેણિક રાજા વિસ્મય પામ્યો હતો. જિનકલ્પી, પરિહાર વિશુદ્ધિ, પ્રતિમા પ્રતિપન્ન અને યથાલંદી તપસ્વી સાધુઓનાં તપનું સ્વરૂપ સાંભળીને બીજે કશું તપને ગર્વ કરે પસંદ કરશે ? અતિ રૂપવંત છતા વિરક્ત થઈ અરણ્યમાં વસી જેણે હજારે ધાપદ જાનવરોને પ્રતિબધ્યા છે, તે માસ અર્ધમાસની તપસ્યા કરતા અલિભદ્રમુનિ જયવંતા વર્તો. શ્રી સંઘનું કષ્ટ નિવારણ કરવા માટે વિષ્ણુકુમારે લક્ષ એજન પ્રમાણ રૂપ વિકુવ્યું ત્યારે પૃથ્વી કંપાયન થઈ, સાગર જઈ હોલ્યા-હાલોલ થયા, અને હિમવંતાદિક પર્વત ચલાયમાન થયા અને છેવટે શ્રી સંઘનું રક્ષણ કર્યું, તે સર્વે તપનું જ ફળ જાણવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy