SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૧ : જજીવપર્યત આપણી પીઠ ઉપર બાંધે ચડાવી ફેરાવીયે તેમની આજ્ઞામાં ખરા અંત:કરણપૂર્વક ચાલીએ, અને બીજા પણ જે જે સેવા કરવાના ઉત્તમ ઉપાય છે, તે તે સર્વ ઉપાયે કરી ભાવ ભક્તિ સહિત સેવા ચાકરી કરીયે, તે પણ તેમના આશીગણ થઈ શકીયે નહી, પરંતુ જે પિતાના માતા પિતાને કેવળીપ્રણતધર્મ બૂઝવીને પમાડી ધર્મને વિષે સ્થાપીયે, તે એશીગણ થઈએ. કોઈ એક મહર્દિક પુરૂષ હોય તે કઈ દારિદ્રી પુરૂષની ઉપર ઉપકાર બુદ્ધિ આણીને તેને મહેટ મહદ્ધિક કરે, પછી કાલાંતરે કદાપિ અશુભ કર્મના યોગે તે ઉપકાર કરનાર પુરૂષ દરિદ્રી અવસ્થાને પામે, તે વારે તેણે જેના ઉપર પ્રથમ ઉપકાર કરી મહદ્ધિક કીધે છે, તે પુરૂષ પોતાના સ્વામીને દરિદ્ર આવ્યું જાણી, જે પોતાની સમસ્ત લક્ષ્મી સપ્તાંગ સહિત આપી દીયે તો પણ તેને એશીગણ ન થાય, પરંતુ કેવળ પ્રણીત ધર્મ પમાડે તો ઓશીગણ થાય. કે પુરૂષ સાધુ ચારિત્રીયાદિકની પાસેથી કે ભલું ધર્મમય સુવચન સાંભળી તે મન માંહે ધારી શુભ ધ્યાનમાં રહ્યો થકે કિાળ કરી દેવતાપણે–ઉપજે, પછી તે દેવતા પિતાના ધર્માચાર્ય પ્રત્યે દુકાળ માંહે પડ્યો જાણી, તિહાંથી અપહરી સુકાળ માંહે લાવી મૂકે, અથવા અટવી માંહે પડ્યો જાણીને વસ્તિને સ્થાનકે આણી મૂકે, અથવા રેગ આતંક પીડાયે પરાભવ્ય જાણીને રોગ આતંક રહિત નિરાબાધપણે કરે, તે પણ તે દેવતા પોતાના ધર્માચાર્યને એશીગણ ન થાય, પરંતુ કદાપિ તે ધર્માચાર્ય અશુભ કર્મના યોગે કેવલિ પ્રણીત ધર્મ થકી ભ્રષ્ટ થાય, તે વારે તેને કેલિપ્રણીત ધમે બુઝવી ધર્મમાં સ્થાપે, તો એશીગણ થાય. ચાર વસ્તુ સંગ્રહ ધર્મના પ્રકાર–આચારધર્મ દયાધર્મ, કિયા અને વસ્તુધર્મ, ધર્મ ચું ચાર પ્રકારને, સાધે સમજી મ. તીર્થકરપણું – દેવ જ્ઞાન સાધારણ દ્રવ્ય, શાસને વૃદ્ધિ સદાય તીર્થકર પદ તે લહે, શાસ્ત્ર તે સમજાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy