________________
: ૧૪૩ : વિશા ઓશવાળની ઉત્પત્તિ–પ્રથમે આ નગરનું નામ ઉપકેશપટ્ટન હતુ, અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનીયા શ્રી સ્વયંપ્રભસૂરિના શિષ્ય શ્રીમણિરત્નસૂરિ ૫૦૦ શિષ્યના પરિવાર સાથે આવેલા તેમણે મહાજન કુટુંબને પ્રતિબધી ૧૮૦૦૦ હજાર જેની બનાવ્યા હતા, ત્યાર પછી અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનીયા શ્રી રત્નપ્રભસૂરિયે રૂની પૂણીના નાગ બનાવી રાજા ઉપલદેવ પરમાર આદિકને પ્રતિબધી ત્રણ લાખ એંશી હજાર ( ૩૮૦૦૦૦ ) અભિય રજપુતો કે જેનું અરડક મલ બિરૂદ છે, તેવાના વિશા ઓશવાળ કર્યા, અને તે નગરીનું નામ એશિયાનગર રાખ્યું, તેમના ૧૪૪૪ ગાત પણ નક્કી કર્યા, તે વખતે તે નગર એટલું મોટું હતું કે ત્યાં હાલમાં જે મથાણીયા, તીવરી સુધી વિસ્તરે તેમ ઘંટીયાળા ગામે નગરનો દરવાજ હતો, પ્રથમે અહીં ઘણું દેરાસર હતા, પણ હાલમાં તે શ્રી મહાવીરસ્વામીનું એક જ છે, ને તે શ્રીરત્નપ્રભસૂરિયે પ્રતિષ્ઠા કરાવેલ તે છે, એશવાળની ત્રદેવી એશિયાદેવી છે, અહિં શ્રાવકોની વસ્તી નથી.
વીશા પોરવાડની ઉત્પત્તિ-જ્યારે શ્રીમાળનગર ઘણું રિદ્ધિ સિદ્ધી વાળું હતું, તે જાણી લુટારાઓના ટોળે ટોળાં તે પર ધસી આવવા લાગ્યા, અને નગર લુટાવા લાગ્યું, તેથી સ્થિતિ બહુ દુઃખ જનક થઈ પડી, ત્યારે સર્વ મહાજને મળી મહાન પુરૂરવા રાજાની મદદ માગી તેથી રાજાયે ખાસ વણું કાઢેલા એવા દશ હજાર (૧૦૦૦૦) જેનું પ્રગટમલ્લ બિરૂદ છે, તેવા રજપુત લડવૈયાઓને મોકલ્યા, આ બહાદૂર દ્ધાઓને આવતાની સાથેજ નગરનું સર્વે દુ:ખ ગયું, તે યોદ્ધાઓ પૂર્વમાંથી આવ્યા છે. એ વાત “પ્રાગવાટ પૂર્વાટ” કે પોરવાડ એ શબ્દ સિદ્ધ થાય છે, તેઓને નગર બહાર પૂર્વમાં વાડીમાં ઊતારો આપે ત્યાં એક અંબિકાદેવીનું દેવળ હતું તેની તેઓ પૂજા કરવા લાગ્યા, દેવી દુષ્ટમાન થઈ એક રાતમાં સાત કીલા બનાવી આવ્યા ત્યારથી શ્રીમાળનગરમાં પોરવાડની સ્થાપના થઈ, તેઓ પ્રથમ તો દશ હજાર હતા પણ થોડા જ વખતમાં તેમાંથી બે જ્ઞાતીયે બંધાઈ
૧ અહીં એક ઓશવાળ ગૃહસ્થો તરફથી બેરડીંગ ચાલે છે, તેમાં ૧૫૦ ના આશરે વિદ્યાર્થીઓ લાભ લે છે. (ભણે છે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org