SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ નાડલાઈ ૨૨૩ સૌથી પહેલાં જે સ્થાપે તેની જીત ગણાશે. આ પ્રતિજ્ઞા અનુસાર બંને જણ મંદિરે ઉડાવી લાવી રહ્યા હતા, પરંતુ તપેસરજીએ યશોભદ્રસૂરિનું મંદિર આગળ નીકળી ગયેલું જોયું ત્યારે તેમણે કુકડાને કૃત્રિમ અવાજ કર્યો. સવાર પડી ગઈ છે એવું જાણીને યશોભદ્રસૂરિએ પિતાનું જૈન મંદિર નાડલાઈના દરવાજા બહાર ત્યાં જ થંભાવી દીધું ને તપેસરજીએ એ અવાજ પછી પણ પિતાનું શૈવ મંદિર આગળ લાવીને ગામમાં સ્થાપન કર્યું. રાજસભામાં તપેસરજીએ પ્રતિજ્ઞાભંગ કર્યાને નિર્ણય જાહેર થયે. આ ઘટનાના સમય વિશે નીચે પ્રમાણેને પ્રસિદ્ધ દેહે સંભળાય છે – સંવત દશ દહોરે, વદિયા ચોરાસી વાદ, ખેડનગરથી લાવીયા, નાલાઈ પ્રાસાદ છે આ દેહામાં મારવાડમાં મલાણીના ખેડનગરથી મંદિર લાવ્યાની હકીક્ત છે, જ્યારે સહમકુલ પટ્ટાવલી’કાર કહે છે: વલભીપુરથી આણિયે, બહષભદેવ પ્રાસાદ.” શ્રીલાવણ્યસમય રચિત “તીર્થમાળામાં આ ઘટનાને સમય સં. ૯૬૪ જણાવ્યું છે, તેમ ઉપર્યુક્ત શિલાલેખમાં પણ એ જ સંવત આપે છે. આ કથામાં તથ્ય કેટલું છે એ જાણવું મુશ્કેલ છે છતાં આજે આ બંને મંદિરે એ જ સ્વરૂપે અહીં ઊભાં છે. શ્રીયશોભદ્રસૂરિનું જૈન મંદિર “જસિયા ના નામે અને તપેસરજીનું મહાદેવ મંદિર “કેસિયા'ના નામે પ્રસિદ્ધ છે. લેકે જસિયાથી યશોભદ્રસૂરિ અને કેસિયાથી કેશવ નામના બ્રાહ્મણ વેગીનું નામ બતાવે છે. વસ્તુત: કેશવસૂરિ નામે યશોભદ્રસૂરિના એક પ્રભાવક શિષ્ય પણ હતા, જેમનું બીજું નામ વાસુદેવાચાર્યું હતું અને જેઓ હસ્તિકુંડીગછના ઉત્પાદક હતા. શું તપેસરજી કેશવ નામના યોગીએ પરાજિત થતાં યશોભદ્રસૂરિ પાસે દીક્ષા લીધી હશે અને કેશવસૂરિ અપરનામ વાસુદેવાચાર્ય થયા હશે ? એ શોધવા જેવું છે. તપસરજીનું મહાદેવ મંદિર પૂર્વાભિમુખ વિશાળ અને શિખરબંધી છે. તેની ચારે દિશામાં દેવકુલિકાઓ છે જેમાં ઉત્તર અને દક્ષિણ તરફની દેરીઓમાં સૂર્ય અને ગણપતિની મૂર્તિ સ્થાપિત છે. ગામની દક્ષિણ દિશામાં આવેલી સ્મશાન ભૂમિમાં અત્યારે પણ બે સ્તુપ જોવામાં આવે છે. તેમાં સંડેર છીય યશોભદ્રસૂરિને મૂર્તિ સહિત સ્તૂપ છે જેના ઉપર બિલકુલ ઘસાઈ ગયેલ લેખ જોવામાં આવે છે. માત્ર આટલા અક્ષરે વંચાય છે: “ ...........ન્નતિમત્તાવારિ”ા તેની પાસે તપસરજી મેગીને પણ સ્તૂપ છે. શ્રીયશોભદ્રસરિની માંત્રિક શક્તિઓની ઘટનાઓ અનેક છે. વિશેષ જિજ્ઞાસુઓએ “ઐતિહાસિક રાસસંગ્રહ' ભા. ૨માં આપેલે “યશોભદ્રસૂરિ રાસ” જેવો જોઈએ. આ મંદિરમાં રંગમંડપની ડાબી બાજુની ભીત ઉપર સં. ૧૧૮૭ના ફાગણ સુદિ ૧૪ ને ગુરુવારને પ્રાચીન લેખ છે અને બીજા લેખે પૈકી સં. ૧૧૮૯, ૧૨૦૦, ૧૨૦૨ વગેરેના લેખો છે, જેમાં રાજ્યપાલ રાજાના સમયમાં આ મહાવીર મંદિરને અપાયેલાં દાનેની વિગત આપેલી છે. આ શિલાલેખ ઉપરથી પણ આ મંદિર સં. ૧૧૮૭ પહેલાંનું નિણત થાય છે. સં. ૧૪૪૩માં આ મંદિરને ઉદ્ધાર થયાને લેખ પણ છે. એ પછી સં. ૧૫૦૯માં મંત્રી સાયરે ઉદ્ધાર કરાવ્યો અને બીજો ઉદ્ધાર જુદા જુદા ગામના સંઘેએ મળીને અને પછીને ઉદ્ધાર સાયમંત્રીના વંશજોએ કરાવ્યું હતું. આ મંદિરની પાસે જ મકાનનું એક ખંડિયેર છે, કહેવાય છે કે, આ ઉપાશ્રય હતા અને અહીં યશોભદ્રસૂરિ અભ્યાસ કરતા હતા. 11 આના મધ્યભાગમાં એક નાન પણ રમણીય મંદિર છે. તેમાં મળનાયક શ્રી આદીશ્વર ભગવાનની વેતવણી પ્રતિમા છે. [૩] મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનના શિખરબંધી મંદિરમાં પીતવર્ણ સપરિકર મૂર્તિ ૧ હાથ ઊંચી બિરાજમાન છે. [૪] શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું મંદિર અહીંનાં બધાં મંદિરમાં ઘણું વિશાળ અને ઊંચું છે. તેમાં મૂળનાયકની તવણી પ્રતિમા ઉપર સં. ૧૬૫ લેખ છે. આ મંદિરની બાંધણું મનહર છે[૫] એખલ ૧. “ પ્રાચીન જૈન લેખસંગ્રહ: ” લેખાંક : ૩૪૩. ૨. એજનઃ લેખકઃ ૩૩૧, ૩૩૩, ૩૩૪ ૩. એજન: લેખાંક: ૩૩૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy