SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ શણકપુર તે પછીના મળે છે. છેલ્લા ઉદ્ધાર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ કરાવ્યે છે. ૨. ઉપર્યુ ક્ત ધરવિહારથી પશ્ચિમમાં થાડે દૂર શ્રીનેમિનાથ ભગવાનનું શિખરબંધી દેવાલય છે. મૂળનાયકની શ્યામવણી પ્રતિમા ૨ ફીટ ઊંચી બિરાજમાન છે. મૂર્તિની ચારે બાજુએ પરિકર સાથે તારણ લગાવેલું છે, જેમાં નાની નાની ૨૩ પ્રતિમાએ ઉત્કીણુ છે. આમાં કુલ ૧૩ પ્રતિમાઓ છે, જેમાંની કેટલીક સ. ૧૪૪૪માં પ્રતિષ્ઠિત થયેલી છે. આ મંદિરમાં એક ભોંયરું છે, તેમાં કુલ ૩૫ પ્રતિમાઓ છે. આ મંદિરમાં ધરણવિહાર કરતાંયે ખારીક કોતરકામ જોવાય છે. કેરણી સાથે પથ્થરમાં ગેાઠવેલી નૃત્ય કરતી દેવાંગનાઓના અંગમરોડ, ઊભરાતું લાવણ્ય અને આભૂષણાના અખરના આબેહૂબ ચિતાર ખડા કર્યા છે. આ સિવાય મંદિરની ચારે તરફની ભિટ્ટ ઉપર યુગલિક પુરુષ અને સ્ત્રીઓની ક્રીડા કરતી નગ્ન પૂતળીએ અધિક સખ્યામાં છે. શ્રીજગદીશપ્રસાદ ગહિલેાતે પેાતાના · મારવાડ રાજ્યકા ઈતિહાસ ' ( પૃ. ૨૮૭)માં આ મંદિર વિશે કહ્યું છે: “ રાણુક. પુરના એક મંદિરમાં નાગી અને અશ્લીલ મૂર્તિએ કારેલી છે; એથી આ કાકશાસ્ત્ર બની ગયું છે. લોકોને આનું યથાર્થ નામ ન મળ્યું તેથી તેને વેશ્યાનું મ ંદિર કહેવા લાગ્યા. ” ܕ વસ્તુત: અશ્લીલ મૂર્તિ એ તે સ્થાપત્યના એક પ્રકારરૂપે યુગલિક પુરુષોની રહેણીકરણી ખતાવવા માટે જ આલેખાઈ છે. મેઢેરાના સૂર્ય મંદિરમાં પણ આવી તા કેટલીયે અશ્લીલ પૂતળીઓ જોવાય છે. ૨૧૯ આ મંદિર ધરણા શેઠના મુખ્ય મુનિમે ખંધાવ્યું હાવાનું કહેવાય છે. “ કેટલીક ઘટનાઓના સમયનિર્દેશ” નામે પ્રગટ થયેલા એક હસ્તલિખિત પત્રમાં આ પ્રકારે ઉલ્લેખ મળે છે: “ તળી પાવતી વેલજી ? સોમજી પોરવાડ ધરાયો | તિખમેં નાની પૂતરી જૈ ॥ ” આ હકીકતથી જણાય છે કે, સામલ નામના રવાડે આ મદિર બંધાવ્યું. જો કે આમાં સમયનિર્દેશ કે ધરણાશેઠના મુનિમ વિશે કશે। ઉલ્લેખ નથી; પરંતુ સંભવ છે કે, આ સામલ પારવાડ ધરણાશેઠનેા મુનિમ હોય; અને તેણે પણ ધરાશાહે મદિર અધાવવાની શરૂઆત કરી તે સમયમાં આ મ ંદિર બંધાવીને પ્રતિષ્ઠિત કરાવ્યું હોય એથી જ મૂર્તિએ ઉપર સ. ૧૪૪૪ના લેખા જણાય છે. 3. મંદિરના મંડપના થાંભલાઓમાં અને પાછળના ભાગમાં મેાટી ફાટી પડેલી છે; આથી આના જીર્ણોદ્ધાર કરાવવાની જરૂરત છે. ધરવિહારની ખરાખર સામે શ્રીપાર્શ્વનાથ ભગવાનનું સુંદર મંદિર ઉત્તરાભિમુખ છે. મૂળનાયકની પ્રતિમા રા ફીટ ઊંચી છે. મંદિરમાં કુલ ૩૩ પ્રતિમાઓ છે અને ભોંયરામાં ૬૫ મૂર્તિએ બિરાજમાન છે.આ મંદિર લગભગ ૧૫મી સદીમાં પ્રતિષ્ઠિત થયું હોય એમ જણાય છે. શ્રીસમયસુંદર ઉપાધ્યાયે “ ખરતરવસી ખાંતસુ રે લાલ ” એ પદ્ય દ્વારા આને ખરતરગચ્છીય સબંધે બંધાવ્યાનું જણાવ્યું છે. ગમે તે હોય પણ સેાળમી સદી પહેલાં આ મંદિર હતું એટલું નક્કી છે. આ મંદિર જીણું` હાલતમાં હોવાથી તેના ઉદ્ધાર કરાવવાની જરૂર છે. ચક્રેશ્વરી માતાનું મદિર:-ઉપર્યુ ક્ત મ ંદિરથી ના માઈલના અંતરે એક દેવીનું મદિર છે. આ મ ંદિર શિખરબંધી અને કારણીવાળું છે. તેમાં ચક્રેશ્વરી દેવીની મૂર્તિ પણ છે. સંભવત: શ્રીઆદીશ્વર ભગવાનની અધિષ્ઠાયિકા ચક્રેશ્વરી દેવીનું મંદિર શેઠ ધરાશાહે જ અંધાવ્યું. ડાય. દેવળને ઘણાખરા ભાગ પડી ગયા છે, માત્ર શિખર મચી ગયેલુ છે. Jain Education International સૂર્ય મદિરઃ—અહીં ધ્વસ્ત થયેલું એક ‘સૂર્યંમંદિર ' છે જે ( કુંભા ? ) રાણાએ બંધાવેલુ કહેવાય છે. તેના મંડપ તૂટી ગયા છે અને પથ્થરો તેમજ સ્મૃતિએ અસ્તવ્યસ્ત પડી છે. રાણાની વિપત્તિકાળે આ સંરક્ષણ માટેનુ સ્થાન મનાતું. વસ્તુત: આ મંદિર જૈન દેવળ હતું. અહીંનાં પ્રાચીન વણ`નાથી જે હકીકત મળે છે તે સાત કે પાંચ મંદિરની શેષ કરવા ચેગ્ય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy