SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ મારે અહીં એટલું સ્પષ્ટ કરવું જોઈએ કે, વર્ણન કરેલાં બધાં સ્થળેના પ્રત્યક્ષ પરિચયમાં હું આવેલ નથી. કેટલાંક સ્થળે જોયેલાં અને જાણીતાં અવશ્ય છે પણ પરિચય આપવાની દષ્ટિએ મેં એ સ્થળોને જોયાં નથી. આ આખેયે સંગ્રહ માટે ભાગે સાહિત્યિક કે પુરાતાવિક આધાર પરથી સંકલિત કરવામાં આવ્યું છે. પ્રાચીન ગ્રંથોના આધારે તે તે તે સ્થળે નેધ્યા જ છે ને આની સાથે જોડવામાં આવેલી “સંદર્ભ ગ્રંથ ”ની સૂચીમાં એને નિર્દેશ કર્યો છે. ગુજરાત, મારવાડ–મેવાડ, માલવા, સિધ-પંજાબ, દક્ષિણ-મહારાષ્ટ્ર, મધ્યપ્રાંત, ઉત્તરપ્રદેશ- બિહાર-બંગાળઆસામ-ઓરિસા વિષેનાં પ્રાસ્તાવિકમાં જેનેના વિકાસ-વિસ્તાર કે વાતાવરણ અને હાસની આછી ઝાંખી કરાવવાનો પ્રયત્ન સેવ્યું છે. મતલબ કે ભૌગેલિક માહિતી, જેને પ્રભાવ, મંદિરની સ્થિતિ અને તેમાંના શિપની વિગત, બની શકય ત્યાં સુધી કમસર વિકાસરૂપે નોંધવાની તકેદારી રાખી છે. આથી એ હકીકતને અહીં બેવડાવવાની જરૂર નથી. આ ગ્રંથમાં ગામ અને મંદિરને લગતા પ્રાચીનતાદર્શક શિલાલેખીય આધારને મુખ્ય સ્થાન આપ્યું છે. કેટલાક પ્રસિદ્ધ શિલાલેખે ઉપરાંત મા સંગ્રહના અપ્રસિદ્ધ શિલાલેખોને પણ આમાં પહેલવહેલા પ્રગટ કર્યો છે. તે તે સ્થળની તત્કાલીન ઘટનાઓ માટે પ્રાચીન એવા આગમગ્રંથ, ભાળે, નિર્યુક્તિઓ, ચૂર્ણિ, ટીકાઓ, કાવ્યસાહિત્ય, વિવિધતીર્થક૯૫, પ્રભાવચરિત જેવા પ્રબંધગ્રંથે, ગ્રંથપ્રશસ્તિઓ, તીર્થમાળાઓ, ચૈત્ય પરિપાટીઓ વગેરેના યાવશક્ય ઉલ્લેખ નાંધવાને પણ પ્રયત્ન કર્યો છે. બની શકયું ત્યાં ચીની પ્રવાસી ફાહિયાન અને એનત્સાંગ તેમજ બીજા દેશી-વિદેશી યાત્રીઓના રિપોર્ટોની નેંધને પણ મેં સાધાર બનાવ્યાં છે. એ પછી શિલ્પ-સ્થાપત્યની રચના વિષે અને કતિવિશેષનું વર્ણન જેટલું જાણું શકાયું તેટલું આપવા તરફ મેં મારું ધ્યાન દેરવ્યું છે. જેના ધાર્મિક ઈતિહાસની દષ્ટિએ જેનું મહત્ત્વ ઉલ્લેખનીય છે કે ગુફાઓ અને ગુફામંદિર વિષે પણ પરિચય કરાવ્યું છે. આ રીતે મળી આવેલી જુદી જુદી સામગ્રીના આધારે આ ગ્રંથની સંજના થયેલી છે. આવા જવાબદારીવાળા અતિમહત્વના ગ્રંથની સંજના કરતી વખતે પૂરતી તકેદારી રાખી છે; પણ છઘસ્થ માણસથી ભૂલ થવી સ્વાભાવિક . આ ગ્રંથમાં રહી ગયેલી એવી ભૂલ કે ક્ષતિ તરફ પ્રેમભાવે જે કઈ લક્ષ દેરશે, તેને આભારી થઈશ. વસ્તુતઃ તીર્થોના જીર્ણોદ્ધાર જેટલું જ તીર્થોને ઈતિહાસ પ્રગટ કરવાનું કાર્ય મહત્ત્વનું છે. આ પુસ્તક આ રીતે પ્રગટ થાય છે, તેને સમગ્ર યશ શેઠ શ્રી. આણંદજી કલ્યાણજીની પેઢીને ફાળે જાય છે. પેઢીના ટ્રસ્ટીઓએ આ પી, સમયે સમયે માર્ગ સૂચક ભલામણ કરી તેમજ જરૂરી સગવડો પૂરી પાડી આ કાર્ય માટે જે સરળતા કરી આપી છે તે માટે તેમને હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ પુસ્તકના લેખનમાં જે ગ્રંથાએ એક યા બીજી રીતે સહાય કરી છે તે વિદેહી કે હયાત ગ્રંથ લેખકેના ઋણસ્વીકાર સાથે જ મારા લેખન સમયે જેમની સલાહ અને પ્રેરણું મને સતત જાગરૂક રાખી શકી છે એ મારા પરમનેહી મિત્ર શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈ અને શ્રી. બાલાભાઈ વીરચંદ દેસાઇ-(જયભિખ્ખ)ની બંધુબેલડીને આભાર માનવાનું ભૂલી શકતા નથી. વળી, સાહિત્યપ્રેમી શ્રી. અગરચંદ નાહટાએ અપ્રસિદ્ધ તીર્થમાળાઓને સંગ્રહ મોકલી આપી અને ઉપકૃત બનાવ્યું છે તેની પણ અહીં નેંધ લઉં છું. અંતે જે તીર્થોએ લેકજીવનના સંસ્કારને સુવાસિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યું છે એવી જૈન સંસ્કૃતિના અંગભૂત તીર્થસંસ્થાનું ઐતિહાસિક હાર્દ રજૂ કરવામાં મારો આ અલ્પ પ્રયત્ન કંઈ પણ ફાળે નેધાવી શકશે તે મારે શ્રમ સફળ થયે માનીશ. સં. ૨૦૦૯ ચૈિત્રી પૂર્ણિમા દહેગામ (એ. પી. રેલ્વે) અંબાલાલ પ્રમચંદ શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy