SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન. જન સંસ્કૃતિ ભારતની અગ્રગણ્ય સંસ્કૃતિઓમાંની એક છે. મુખ્યત્વે હિસાવિજય અને મારવિજય પર નિર્માણ થયેલી આ સંસ્કૃતિને ઈતિહાસ પણ ઘણે પ્રાચીન અને મહત્ત્વનું છે ને ધર્મવીરે, દાનવીર અને કર્મવીરેનાં ઉજજવળ ચરિત્રોથી ભરેલું છે. આ ધર્મની ભૂતકાલીન જાહોજલાલી, ઉન્નત કળાજીવન તથા ઉચ્ચકેટિના આત્મસમર્પણના પ્રતીકસમાં એનાં શિલ્પસ્થાપત્ય ને કળાભાવના તથા ધર્મભાવનાથી ભરેલાં તીર્થો છે. એ તીર્થો ભારતવર્ષના વિશાળ પટ પર સ્થળે સ્થળે પથરાયેલાં છે, ને એ જૈન તીર્થોને પ્રવાસી સહેલાઈથી ભારતભરની પુણ્ય યાત્રા કરી લે છે. અખિલ ભારતવર્ષીય વેતાંબર મૂર્તિપૂજક જૈનોનું પ્રતિનિધિત્વ ધરાવતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી જૈન સંસ્કૃતિની ભવ્ય પતાકાસમાં જૈન તીર્થોના સંરક્ષણ ને સંગેપન વિષે હમેશાં ભારે ઉત્સાહ ધરાવતી રહી છે, એ ખૂબ જાણીતી બાબત છે. આ પેઢી તરફથી બહુ પ્રયાસે ને બહુ ખચે “જૈન તીર્થ સર્વસંગ્રહ” નામનો ગ્રંથ તૈયાર થઈ રહ્યો છે, એવી માહિતી મારા મિત્ર અને જાણીતા લેખક શ્રી. જયભિખુ તરફથી મળી ત્યારે ખરેખર અવર્ણનીય આનંદ થયે. ઘણા વખતથી તીર્થ વિષયક અને પુરાતત્ત્વ વિષયક મારી રુચિ અને અભ્યાસથી પરિચિત શ્રી. જયભિખ્ખને પેઢી તરફથી સવિશેષ નેંધ લખવાનું નિમંત્રણ મળ્યું ત્યારે તેઓએ પેઢી પાસે મારું નામ ૨જ કર્યું. સારાંશમાં આ પુસ્તકના લેખન-સે પાદનભાર મારે સ્વીકારવાનું નક્કી થયું. પેઢીના માહિતી ખાતા તરફથી તીર્થોની ગામ, ઠામ, ઠેકાણું વગેરેની નોંધ શ્રી. સારાભાઈ નવાબ જવાની દેખરેખ નીચે તૈયાર કરવામાં આવ્યાં હતાં. આ નેધ-ટિપ્પણને ધ્યાનમાં રાખી દરેક તીર્થનું પ્રાચીન મહત્વ, અર્વાચીન સ્થિતિ તેમજ ઈતિહાસની વિગતે એકઠી કરવાનું કામ મેં શરૂ કર્યું, જે વિશેષ નેધ તરીકે ગ્રંથના પૂર્વાર્ધમાં આપવામાં આવેલ છે. સ્વ૫ એવી આ સવિશેષ નેધ માટે તત્કાલીન મળી આવતા શિલાલેખે, તામ્રપત્ર, અવશે પ્રવાસીઓની રાધે. પ્રાચીન સાહિત્ય ને અર્વાચીન પુરાતત્ત્વવિદોના નિર્ણયેની છાનબીન કરવાની હતી. આ કામ ખરેખર. સાગરને ગાગરમાં ભરવા જેવું કઠિન હતું ! યુરોપીય વિદ્વાને ને વિદેશી સંશોધકે પણ ભારતનાં શિલ્પ સ્થાપત્યભર્યા સ્થાને વિષે ગ્રંથના ગ્રંથો લખ્યા છે એ પણ સાથે સાથે જઈ જવાના હતા. આપણું પૂર્વજોની તીર્થભક્તિ અને તીર્થ. સંરક્ષણની જૈન સંઘની તમન્નાને પણ એમાં અંજલિ આપવાની હતી અને ગ્રંથલાઘવની દૃષ્ટિએ ટૂંકા ગાળામાં એના કદને મર્યાદિત રાખવાનું હતું! આ બધી મર્યાદામાં રહીને મેં મારું કામ શરૂ કર્યું. ગ્રંથના “જૈન તીર્થ સર્વસંગ્રહ” એવા નામ ઉપરથી જ તેના વિષયને સામાન્ય ખ્યાલ આવી જાય એમ છે; છતાં આ સંબંધે એટલો ખુલાસો કરે જરૂરી છે કે, આમાં શ્વેતાંબર જૈનેની દૃષ્ટિએ જેન તીર્થો, તીથ ન હોય એવાં પ્રાચીન ગામ-નગરે, અર્વાચીન તીર્થો અને નગરે, તેમજ જેના સાંસ્કૃતિક ઘડતરમાં જૈન જનતાએ વિશિષ્ટ ફાળો અર્પી હોય એવાં સ્થળમાં બની ગયેલી જેન ઘટનાઓના જે ઉલેખે મળી આવતા હોય તેને પણ અહીં સમાવેશ કર્યો છે. આ દષ્ટિએ મુખ્ય એવાં ૨૭૦ સ્થળ અને ખંડિત, વિસ્મૃત કે નામશેષ બનેલાં ૧૧૦ સ્થળો મળીને કુલ ૩૮૦ રટલાં સ્થાનને પરિચય આ સંગ્રહમાં આપવામાં આવ્યું છે અને પરિશિષ્ટમાં સાત પ્રકારની વિષયસૂચિઓ પણ દાખલ કરી છે. આ વર્ણનને ક્રમ ગ્રંથના ઉત્તરાર્ધમાં આપવામાં આવેલા કેષ્ટક (કઠાઓ)ના ક્રમ મુજબ રાખવામાં આવ્યું છે એટલે ગુજરાત, મારવાડ, મેવાડ, માળવા, સિંધ-પંજાબ, દક્ષિણ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર–બંગાળ, આસામ અને એરિસા પ્રદેશનું કમશ: વર્ણન આપ્યું છે. Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy