SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ જૈન તીર્થ સર્વસંગ્રહ ખંડિત પ્રાચીન જિનમતિને ભંડારી દઈ શ્રીમહાવીરસ્વામીની મૂર્તિ સ્થાપન કરાવી. એ મંદિર અને મૂર્તિ જીણું થતાં સં. ૧૨૨૩માં ફરીથી શ્રીમહાવીરજિનની સ્થાપના કરવામાં આવી. એ પછી થોડા સમયમાં આ મંદિર અચાનક તુટી પડયું ત્યારે શ્રીસંઘે મૂળગભારે અને મંડપ સહિત મૂળ મંદિરને નવેસર તૈયાર કરાવ્યું ને તેમાં નાકરનગરની ૧૨૦ કૃતિઓ જે કાલીદ્રહ (નાગહૃદ)માં છુપાવી હતી તે વીરમપુર લાવીને તેમાંથી એક શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને મૂળનાયક તરીકે સં. ૧૪૫૯માં સ્થાપન કરવામાં આવી. બસ, એ સમયથી આ વીરમપુર નાકડાને નામે પ્રસિદ્ધિ પામ્યું. શ્રીમહિમા સમુદ્ર નામના કવિએ રચેલા અપ્રસિદ્ધ “મહેવાનગર સ્તવનમાં આ મંદિરના જીર્ણોદ્ધારક અને તેમણે, કરાવેલા જીર્ણોદ્ધારની સાલ-તિથિ આ પ્રકારે નેધી છે – * સંવત પુનરક ચાસફઈ, અષ્ટમી વદિ વિશાખ, શનિવાર દિવસ પ્રતિષ્ઠીય, ખર ધન કેઈ લાખા મોરી ૩ સવાલ વસઇ અતિભલો, છાજહડ ગાત્ર છત્રાલ; જલિસુત નયણે જકઈ, સુત સીહા સુવિલાસ, મોરી૪. સોહામુતન સમધર, સદ્ભુ તણું સુતન સાહ સદારગ; ભાવસાં તેણુ ભરાવીયા, આણંદ અતિ ઉછરંગ મેરી ૫ આ સ્તવન ઉપરથી લાગે છે કે, સં. ૧૫૬૪ના વૈશાખ વદિ ૮ ને શનિવારના રોજ એશવાલ છાજહડ ગેત્રી શેઠ જટિલના પ્રપૌત્ર શેઠ સદારગે આને જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. એ પછી શ્રેષ્ઠી માલશાહ સકલેચાના નાનાભાઈ નાનકજીએ અહીંના રાજપુત્રની હલકી દાનત જોઈને અગમચેતી વાપરી બધા જેને કુટુંબને તૈયાર કરી જેસલમેરની યાત્રાને બહાને સંઘ કાઢો ને આ ગામ ખાલી કરાવ્યું. એ પછી આ ગામની આબાદી તૂટી ગઈ છે. અહીંના ત્રણ મંદિરે ડુંગરની વચ્ચે આવેલાં છે. તે પૈકી મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર પ્રાચીન, વિશાળ અને મને હર છે. તેમાં મૂળ ગભારે, ગૂઢમંડપ, નવચેકી, સભામંડપ, શૃંગારકી ને તેમાં ત્રણ ઝરૂખા અને ઉન્નત શિખરબંધી રચના છે. મૂળગભારામાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની ૨૩ ઈંચની ભવ્ય પ્રતિમા બિરાજમાન છે અને બંને તરફની મૂર્તિઓ ૨૦ ઇંચની છે. શ્રીસમયસુંદર ઉપાધ્યાય આ મૂર્તિઓ પ્રત્યે શ્રદ્ધાભરી વાણીમાં ઉપદેશ છે કે – “જાગરા તીઈ પાWપહુ, જહાં યાત્રી આવે જગત સહુ મુજને ભવદુઃખ થકી છો, નિત નામ જપ શ્રીના. કેટલાક વૃદ્ધોનું કથન છે કે, નાકોડા પાસેની નદીના કિનારે એક પ્રાચીન ખંડિયેર છે. તેમાંથી આ પ્રતિમાઓ મળી આવી છે. મંદિરના દક્ષિણ ભાગમાં પાસે પાસે જ બે મજબૂત ભેંયરાં બનેલાં છે. તેમાં વિક્રમના ૧૨મા સૈકાથી લઈને ૧૭મા સૈકા સુધીની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત છે. આ મંદિરના રંગમંડપ, નંદિમંડપ, ઝરુખા અને ભૂમિગૃહના પાટડા પર ક્રમશ: નીચે મુજબના શિલાલેખે કતરેલા જોવાય છે, જેમાં રંગમંડપ, ચોકીઓ વગેરે કરાવ્યાના શ્રેષ્ઠીઓના ઉલ્લેખ છે – (१) " स्वस्ति श्रीर्जयोमंगलाभ्युदयश्च संवत् १६७८ वर्षे शाके १५४४ प्रवर्त्तमाने द्वितीय आषाढ सुदि २ दिने रविवारे राउल श्रीजुगमालजीविजयराज्ये श्रीपल्लकीयगच्छे भट्टारकश्रीयशोदेवसूरिजीविजयमाने श्रीमहावीरचैत्ये श्रीसंघेन चतुष्किका कारिता श्रीनाकोडापार्श्वनाथप्रसादात् । शुभं भवतु उपाध्याय श्रीकनकशेखरशिष्य पं० सुमतिशेखरेण लिखितं श्रीछाजहक देवशेखरजी संघेन જારાવિતા | સૂત્રધાર નં૦માનાં ઘટિતા પુત્રવરી !” (२) " संवत् १६८२ वर्षे आषाढ सुदि ६ सोमवारे राउलश्रीजुगपालजीराज्ये श्रीपल्लिगच्छीयश्रीसंघेन श्रीपार्श्वनाथचैत्ये नंदीमंडप[:]कारापिता(तः)। उपाध्यायश्रीसिंहलिखितं सूत्रधार मेघा सूत्र० तारा कारीगर करमा शुभं भवतु श्रीसंघस्य श्रियेस्तु ॥" (३) "आषाढादि संवत् १६८१ चैत्र सुदि ३ दिने सोमवारे हस्तनक्षत्रे वीरमपुरे श्रीजुगमालजीविजयराज्ये श्रीपल्लिवालगच्छे Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy