SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ સભામંડપ, શંગારકી, ગૂઢમંડપની બંને બાજુએ બે બે મંડપ, ભમતીને કેટ, શિખર અને ઘૂમટોથી યુક્ત હતું. આ મંદિરને “નવતેરણિયું મંદિર પણ કહેતા હતા, એથી જણાય છે કે, નકશીવાળાં નવ તેણે એમાં વિદ્યમાન હતાં. મળગારો કંઈક ઊંચી ભૂમિકા ઉપર છે. મૂળ ગભારા પાસે પથ્થરને ઢગલે પડ્યો છે. ગર્ભાગારથી આગળ ત્રણે. બાજીએ ત્રણ દરવાજાવાળે ગૂઢમંડપ છે. તેના ઉત્તર અને દક્ષિણ દિશાઓના દરવાજાઓથી બહાર એકેક સભામંડપ છે. ગૂઢમંડપમાં ૧૪ થાંભલાઓની બેવડી હાર છે. દરેક સ્તંભના ત્રણ ત્રણ ભાગ છે, જેમાંને વચલે ભાગ મોટો છે. ગૂઢમંડપથી બહાર આવતાં ત્રણ દરવાજાની માફક ત્રણ ભાગ કરેલા છે. એવા ત્રણ-ત્રણ ભાગવાળી બીજી બે હારે છે. એટલે માંડવીની માફક નવ દરવાજા છે અને માથે નવ ઘૂમટો-નવચેકીએ છે. નવચેકીએથી આગળ પૂર્વ દિશામાં એક માટે ગોળાકારે સભામંડપ છે. તેમાંના બધા સ્તંભે કેરણીભર્યો છે. ઘુમટોમાં પણ એવી જ કેરણી કરેલી છે. સભામંડપથી આગળ પગથિયાં છે અને ત્યાં એક દરવાજો છે. દરવાજાના ઉપરના ભાગમાં ત્રણ ઘુમટે–ત્રણ ચોકીઓ છે. આ દરવાજાથી આગળ એક બીજો સભામંડપ છે. ત્યાંથી આગળ જતાં બારણું અને પગથિયાં મૂકેલાં છે. તેની આગળ ત્રણ ખંડવાળા મંડપ-ત્રણ ચેકીઓ છે, જેમાં કઠેડે છે અને કઠેડામાં ત્રણે બાજુએ ત્રણ ગવાક્ષે છે, આ બાગ ચાકીવાળા મંડપથી આગળ પગથિયાં છે અને તેની બંને બાજુએ એટલા છે. મંદિરના પ્રવેશદ્વારથી લઈને ઠેઠ મૂળગભારા સુધી ચાર દરવાજાઓ બનાવેલા છે. ગભારાનું અને ગૂઢમંડપનું ભેંયતળિયું એકસરખું છે. ગૂઢમંડપ પછી નવચેકીઓના છેલ્લા વચલા ખંડમાં જ આ પગથિયાં છે. બાજુના બંને ખંડોમાં પગથિયાં નથી. સભામંડપ પછી કે વાવમાં ઊતરતા હોઈ એ તેમ નીચાણ ભાગ છે અને તેમાં પગથિયાં મૂકેલાં છે. ત્યાં અને સભામંડપ પછી એકેક બારણું છે. બંને બારણું ઉપરને ભાગ છતથી ઢાકેલો છે. છેલલા દરવાજા પછીનાં પગથિયાં અને તેની બંને બાજુઓના એટલા પણ છતથી ઢાંકેલા છે. લગભગ ત્રણ-ચાર દશકા અગાઉ આ મંદિર જે સ્થિતિમાં હતું તેનું વર્ણન આ પ્રકારે છે. મૂળ ગભારા ઉપરનું શિખર તટી ગયેલું છે. મૂળગભારાની ત્રણે બાજુની દીવાલ હજી ઊભી છે. પૂર્વ દિશાની દીવાલ અને દક્ષિણ દિશાનું બારણું પડી ગયું છે. મુખ્ય પ્રવેશદ્વારની ઉપરને ભાગ અને તેની પાસેનાં પગથિયાં અને કેટલાક ઘૂમટો વગેરે પડી ગયા છે. બાકીના મોટા ઘુમટો, રંગમંડપ, નવચેકીએ, ગૂઢમંડપ વગેરેના મંડપ, સ્તંભે, તેણે અને ઉપરના કેટલાક ઘમટે વિદ્યમાન છે. આખુંય મંદિર ભવ્ય અને વિશાળ, શિલ્પશાસ્ત્રના નિયમ મુજબ પ્રમાણસર, કેરણીથી કળામય બનેલું હતું એમ જણાય છે. મંત્રી ઉદ્ધરણના પુત્ર કુળધરે સં. ૧૨૨૩માં બંઘાવેલા આવા ઉત્તમ પ્રાસાદની કારીગરીને પ્રાચીન નમને આપણા કમનસીબે આજે આ રીતે નાશ પામ્યા છે. આ મંદિરના નવચેકીઓના સ્તંભે ઉપરથી સં. ૧૩૫૨ને એક, સં. ૧૩૫૬ના બે અને સં. ૧૬૯૩ ને એક-એમ ચાર શિલાલેખે આ રીતે પ્રાપ્ત થાય છે – (१) " ॐ ॥ संवत् १३५२ वैशाख सुदि ४ श्रीवाहडमेरौ महाराजकुलश्रीसामंतसिंहदेवकल्याणराज्ये तन्नियुक्तश्री २ करणे मं० वीरा सेल [.] वेला तुल [0] भां. गिगनप्रभृतयो धर्माक्षराणि प्रयच्छंति यथा । श्रीआदिनाथमध्ये सतिष्ठमानश्रीविघ्नमर्दन क्षेत्रपालश्रीचउंडराजदेवयो उभयमार्गीयसमायातसार्थ उष्ट्र १० वृष २० उभयादपि ऊर्व साथ प्रति द्वयोर्दैवयोः पाइलापदे भीमप्रिय दश विशोपका अझैद्वैन गृहीतव्याः । असौ लागा महाजनेन म(मा)निता ॥ यथोक्तं बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः । यस्य यस्य यदा भूमी तस्य तस्य तदा फलं ॥१॥" (२)"ॐ॥ संवत् १३५६ कार्तिक्यां श्रीयुगादिदेवविधिचैत्ये श्रीजिनप्रबोधसूरिपट्टालंकारश्रीजिनचंद्रसूरिसगुरूपदेशेन सा० गाल्हणसुत सा० नागपालश्रावकेण सा० गहणादिपुत्रपरिवृतेन मध्यचतुष्किका स्व• पुत्र सा० मूलदेवश्रेयोथै सर्वसंघप्रमोदार्थ कारिता મારંવાદ્ધ નિંદ્રતાત | જીમ ” (३) “ॐ॥ संवत् १३५६ कार्तिक्यां श्रीयुगादिदेवविधिचैत्ये श्रीजिनप्रबोधसूरिपट्टालंकारश्रीजिनचंद्रसूरिसुगुरूपदेशेन सा० भालहणसत सा० राजदेवसपुत्रेण सा० सलखणश्रावकेण सा० मोकलसिंह तिहूणसिंह परिवृतेन स्वमातुः सा पउमिणिसुश्राविकायाः श्रेयोथै सर्वसंघप्रमोदाथै पार्श्ववर्तिचतुष्किकाद्वयं कारितं ॥ आचंद्राक नंदतात् ।। शुभमस्तु ।" Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy