SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ભિન્નમાલ ૧૭e ___ " श्रीपाश्वंपते(तये) नमः ॥ संवत् १६७१ वर्षे शाके १५३६ वर्तमाने चैत्र सुदि १५ सोमवारे श्रीपाश्वनाथदेवलमध्ये श्रीचंद्रप्रभमंदिरं कारापितं रूपइया सहस्र २०१५६) खरवाणा जालोर खां पहाडखान गजनीखानसुतराज्ये भीनमाल सोलंकी वीदा रहनेरा दोकडा श्रीपारसनाथरा देवका खरचाणा प्र० उदिम श्रीवडवीर भीमशाखावाला श्रीभावचंद्रशिष्यभट्टारकश्रीविजयचंद्रसूरिवराभ्यां सलावट जसा सोढा देदा काम कीधुं नाम उकेर्यो श्री श्री।" આ લેખથી જણાય છે કે, શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં શ્રીચંદ્રપ્રભસ્વામીનું મંદિર બંધાવવામાં આવ્યું હતું. મળમંદિરના શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ વિશે સં. ૧૯૬૨માં શ્રીપુણ્યકમલ મુનિએ રચેલા “ ભિન્નમાલ સ્તવન ”માં ચમત્કારભરી ઘટના આલેખી છે. તેમાં જણાવ્યું છે કે, સં. ૧૯૫૧માં આ મૂર્તિ અને બીજી કેટલીક મૂર્તિઓ જમીનમાંથી મળી આવી હતી, જે મૂર્તિઓને જાલેરના ગજનીખાને કબજે કરી હતી. પરંતુ કબજે કરેલી એ મૂર્તિઓના કારણે એ દુ:ખી થયે હતો. આખરે એ મૂર્તિઓ તેણે શ્રીસંઘને સુપ્રત કરી ત્યારે સં. ૧૯૬૨માં સંઘવી વરજંગ શ્રેષ્ઠીએ અહીં નવચેકી અને પ્રદક્ષિણાની ભમતીવાળું ભવ્ય મંદિર બંધાવી એ મૂર્તિઓને મેટા ઉત્સવપૂર્વક સ્થાપના એ પ્રસંગે ખુદ ગજનીખાને જિનમંદિર ઉપર સુવર્ણના ૧૬ કળશો ચડાવ્યા હતા.' આ હકીકતનું સમર્થન શ્રીશીલવિજયજીએ રચેલી “તીર્થમાળા માંથી પણ આ પ્રકારે મળે છે – “ જાલોર નયરિ ગજનીખાન, પિસુન વનિ પ્રભુ ધરિયા વાન; વરજંગ સંઘવી વારીક જામ, પાસ પખીનિં જિમરૂં તા. સ્વામી મહિમા ધણું કિ ધ, માની મલિકનિ વળી વસિ કર્યો પૂછ પ્રણમી આપ્યા પાસ, સંઘ ચતુર્વિધ પૂગી આસ. સ્વામી સેવા તણિ સંગિ, પાલહ પરમારને ટલી એ રોગ; સેળ કોસીમાં જિનહરસિરિ, હેમતણાં તિણિ કીધાં ધરિ. ભિનમાલિ ભયભજન નાથ મતલબકે, આ મંદિર સં. ૧૯૬૨માં બંધાયું અને સં. ૧૯૭૧માં શ્રીચંદ્રપ્રભસ્વામીનું મંદિર પણ તેમાં જ બંધાવવામાં આવ્યું જેમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પરિકરના હિસાબે સં. ૧૦૧૧ની સાલની પ્રાચીન હોવાનું જણાય છે; પરંતુ પરિકરમાંની મૂર્તિ એટલી પ્રાચીન જણાતી નથી. ૨. ગાંધી મૂતાના વાસમાં શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર પ્રાચીન છે. સં. ૧૬૩૪માં શ્રીહીરવિજયસૂરિએ એની પુનઃ પ્રતિષ્ઠા કરેલી છે. આ મંદિરમાં એક ઊભી અને બે બેઠેલી મૂર્તિઓ લગભગ સાતમા સૈકાની જણાય છે. સિવાય ચાર મૂર્તિઓ શ્રાવક-ગૃહસ્થની પણ છે. ૩. ગાંધી મૂતાના વાસમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ઘૂમટબંધી નાનું મંદિર છે. મૂળનાયકની ગાદી નીચે આ પ્રકારે લેખ વંચાય છે " संवत् १६८३ वर्षे आषाढ यदि ४ गुरौ श्रीमालवासी सा० पेमा खेमा श्रीपार्श्वचिंबं का० प्र० श्रोविजयदेवसूरिभिः ॥" -સં. ૧૬૮૩ના આષાઢ વદિ ૪ ને ગુરુવારે શ્રીમાલના રહેવાસી શા. પિમાં અને ખેમા નામના શ્રાવકે એ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને શ્રીવિજયદેવસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી. સંભવતઃ આ મંદિર સં. ૧૯૮૩માં બંધાયું હશે. આમાં રહેલી બીજી મૂર્તિઓ લગભગ ૧૫-૧૬મી શતાબ્દીની પ્રતિષ્ઠિત છે. ૪. ઉપર્યુક્ત મંદિરની પાસે આવેલા જના તપગચછના ઉપાશ્રયના ગોખલામાં બદામી વર્ણની એક હાથ ઊંચો શ્રીમહાવીરસ્વામી ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠિત છે. તેના ઉપર સં. ૧૮મી ને લેખ છે. ૧. “જૈન સત્ય પ્રકાશ” વર્ષ: ૧૩, અંક: ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy