________________
ખૂબ લાગણું ધરાવે છે અને જયારે જ્યારે શક્ય હોય ત્યારે ત્યાર ગ્રંથમાળાને સહાય અપાવવામાં પ્રેરણા કર્યા કરે છે. આ માટે એ બન્ને મુનિવરે પ્રત્યે અમે અમારી આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ.
પૂ. જયંતવિજ્યજી મહારાજનાં બીજાં પણ કેટલાંક ઉત્તમ પુસ્તક, આર્થિક સગવડના અભાવે, પ્રકાશિત થવાં બાકી છે. જેમ જેમ આર્થિક સહાય મળતી રહેશે તેમ તેમ એ પુસ્તકે અમે પ્રકાશિત કરતા રહીશું. વિદ્યા પ્રેમ મહાનુભાવો અમારી આ જરૂરિયાત તરફ લક્ષ્ય આપે એવી અમારી પ્રાર્થના છે. - અમે તે ઈચ્છીએ કે-આ ગ્રંથમાળાને સર્વ મુનિવરે પિતાની માને–અમારું ધ્યેય જૈન સાહિત્ય અને સંસ્કૃતિનું ગૌરવ વધારે એવા ગ્રંથો પ્રકાશિત કરવાનું છે. અને એ સંબંધે અમે સહુ કેઈન સહકારની યાચના કરીએ છીએ.
આ પુસ્તકને વધુ આકર્ષક અને ઉપયોગી બનાવવા માટે જુદી જુદી તીર્થભૂમિઓનાં ૧૮ જેટલાં ચિત્રો આપવામાં આવ્યાં છે. આ ચિત્રોનો બ્લેકે પૂરા પાડવા માટે અમે “જૈન” પત્રના સંચાલકોને આભાર માનીએ છીએ.
આટલા પ્રાસંગિક નિવેદન સાથે અમે આ પુસ્તક જૈન સંઘના કરકમળમાં સાદર કરીએ છીએ.
-પ્રકાશકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org