SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ સાથે લઈ, તેના નાયક બની જૈનધર્મના વિજયડકા ફરકાવતા ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા. એવી રીતે કૈવલ્યજ્ઞાન પામ્યા પછી પ્રભુ મહાવીરે લગભગ ત્રીસ વર્ષ સુધી પૃથ્વીપર વિચરી, અનેક ભવ્ય જીવેાના ઉદ્ધાર કર્યો. , આ વિષયની પુષ્ટિ માટે શ્રીમદ્ બુદ્ધિસાગરજી પેાતાના ‘ જૈનધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ ” નામક પુસ્તકમાં લખે છે કે:~ જૈનધર્મના ઇતિહાસને નહિ જાણનાર મીસીસ એસન્ટ ' જૈનધર્મને હિન્દુ ધર્મની પ્રાચીન શાખા તરીકે કહે છે, તેમાં મીસીસ એસન્ટ ભૂલ કરે છે. હિન્દુ અર્થાત્ વેદધર્મ અને જૈનધમ અસલથી જુદા ધર્મ છે. માટે મીસીસ એસન્ટ પેાતાની ભૂલને સુધારા કરવા જોઇએ. શ્રી મહાવીર પ્રભુના સમયમાં ચાર વેદા હતા. એમ શ્રી ઠાણાંગજીત્ર, પ્રશ્ન વ્યાકરણુસૂત્ર, પસૂત્રથી સિદ્ધ થાય છે. શ્રી મહાવીર પ્રભુએ અગીયાર રહેારામ, વિદ્વાન ગૌતમ ( ઇન્દ્રભૂતિ ) આદિ બ્રાહ્મણાને વેદના સૂત્રાના આધારે સમ્યક્ અર્થ સમજાવી સંશય ટાળીને, ચુમ્માલીસસેા બ્રાહ્મણે। સહિત દીક્ષા આપી પેાતાના ૧૧ ગણધર ખનાવ્યા હતા. "" * નામ શ્રી મહાવીર પ્રભુના વખતમાં ગૌતમ બુદ્ધ 'ના મત ચાલતા હતા. નેપાળની તળેટીમાં આવેલા “ કપિલપુર ના શુદ્ધોદન રાજાના એ (ગૌતમબુદ્ધ ) પુત્ર હતા. તેમની માતાનુ નામ મહામાયા ” અને સ્ત્રીનું “ યશેાધરા ” હતું. તેમને “ રાહુલ ” નામે એક પુત્ર હતા. સંસારની અસારતા સમજી આત્મસાધના કરવા માટે રાજ્યલક્ષ્મીને છેાડી શ્રી ગૈાતમબુદ્ધ એકાએક વનપ્રદેશમાં ચાલ્યા ગયા હતા. કેટલાએક માણસ મહાવીર અને બુદ્ધને એક માનવાની ભૂલ કરે છે, પરંતુ વાસ્તવિક રીતે તેઓ અને જુદા જ છે; અનેના સિદ્ધાંત અને ઉપદેશમાં પણ ભિન્નતા છે. આ વિષે “ પ્રાચીન ભારતકા ૧૦૦૦ શતાબ્દિકા ઇતિહાસ ” નામક પુસ્તકમાં લખ્યું છે કેઃ—વિક્રમ સંવત પૂર્વે, ૫૪૩ વર્ષ પહેલાં મગધ દેશમાં બે મત નવા પ્રગટયા. ૧ ૬ જૈન ’ અને ર ઐદ્ધ ’. અને મતના સંસ્થાપકાને તફાવત આ નીચેના પ્રમાણેાથી સમજવે વધુ સરળ થઈ પડશે. 6 મહાવીર અને યુદ્ધના તફાવત. શ્રી મહાવીર પ્રભુ ૧ મહાવીરના પિતાનું નામ સિદ્ધાર્થ રાજા. ૨ મહાવીરની માતાનું નામ ત્રિશલા દેવી. ૩ મહાવીરના જન્મ; મગધદેશની Jain Education International શ્રી યુદેવ ૧ બુદ્ધના પિતાનું નામ શુદ્ધોદન રાજા. ૨ બુદ્ધની માતાનું નામ મહામાયા. ૩ બુદ્ધના જન્મ : બનારસથી માઈલ ઉત્તરમાં હિમાલય For Private & Personal Use Only ૧૦૦ પર્વત www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy