SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ પાણી પાશ્વમુનિના નાસિકાગ્ર સુધી પહોંચ્યું. આ વખતે ધરણેન્દ્ર દેવનું આસન ચલિત થયું. તરત જ તેણે (પૂર્વભવના નાગ) અવધિ જ્ઞાનના ઉપયોગથી જાણ્યું કે પોતાના મહાન ઉપકારી પાર્શ્વનાથ પ્રભુ પર અસહ્યા સંકટ આવી પડયું છે. મારે તેમને આ પરિસહથી ઉગારી અણ અદા કરવું જોઈએ. એમ વિચારી તે દેવ શી ગતિએ ત્યાં આવ્યો અને નાગનું સ્વરૂપ ધારણ કરી, પાશ્વ પ્રભુના પગ તળે બેસી પ્રભુને અદ્ધર (ઉંચા) લઈ લીધા. અને પ્રભુના માથા પર હજાર ફેણનું છત્ર ધરી દીધું. ત્રણ ત્રણ દિવસ થયા, છતાં વરસાદ અટક નહિ; એટલે ધરણેન્દ્ર ઉપયોગ મૂકીને જોયું તો તેને જણાયું કે આ પરિસહ આપનાર કમઠ સૂર છે. આથી ધરણેન્દ્ર દેવે તેજ વખતે કમઠસૂરને બાંધીને પાર્શ્વનાથ સમક્ષ લાવ્યો અને ઉપદેશ આપતા કહ્યું –અરે મૂર્ખ ! પાર્શ્વનાથ તો સાક્ષાત્ ક્ષમાની મૂર્તિ છે, તેમને તારા પ્રત્યે લેશ પણ દ્વેષ નથી. તે નાહ તું દ્વેષ કરીને શા માટે કર્મબંધન વડે તારા આત્માનું બગાડે છે? માટે સમજ. કમઠે પિતાની ભૂલ કબુલ કરી અને પાર્શ્વનાથ પ્રભુને વારંવાર વંદન કરી ક્ષમા માગી. દેવો પોતપોતાને સ્થાને ગયા. પાર્શ્વનાથ પ્રભુ ત્રીસ વર્ષ સંસારમાં રહ્યા. ૭૦ વર્ષની પ્રવર્યા પાળી, પ્રવર્યા લીધા પછી ૮૪ દિવસે તેમને કૈવલ્યજ્ઞાન થયું. કેવલ્યજ્ઞાન થયા પછી ઘણું ભવ્ય જીને સબધ આપી, તારીને સો વર્ષનું એકંદર આયુષ્ય ભોગવી એક હજાર સાધુ સંઘાતે તેઓ મોક્ષ પધાર્યા. પાર્શ્વનાથ પ્રભુના સમય પરત્વે શ્રી. મા. દ. દેશાઈ પિતાના “ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” નામક પુસ્તકમાં લખે છે કે --શ્રી ઋષભદેવ પછીના વીસ તીર્થકરો પણ ઘણું પ્રાચીન કાળમાં થઈ ગયા છે. પછી બાવીસમાં શ્રી નેમનાથ તે કૃષ્ણના પૈતૃક ભાઈ સૌરાષ્ટ્રના ગીરનાર પર્વત પર સિદ્ધિ પામ્યા. ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ તે અશ્વસેન રાજાના પુત્ર તેમણે ૭૦ વર્ષ સુધી જૈનધર્મનો ઉપદેશ કર્યો. એમને સમય વિ. સ. પૂર્વે ૮૨૦ થી ૭૨૦ (ઈ. સ. પૂર્વે ૮૭૬ થી ૭૭૬) એટલે કે તેઓશ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પહેલાં ૨૫૦ વર્ષે સિદ્ધ થયા. ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ તીર્થંકર મોક્ષ પહોંચ્યા પછી, ૨૫૦ વર્ષને આંતરે ચાવીસમા શ્રી મહાવીર સ્વામી તીર્થકર થયા. એટલે ચોથા આરાના પંચોતેર વર્ષને સાડા આઠ મહિના બાકી રહ્યા તે સમયે દશમા પ્રાણુત નામના દેવલેકમાં પોત્તર નામનું વિમાન છે, તેમાંથી આવી આ જંબુદ્વીપના દક્ષિણદ્ધ ભરતના મધ્ય ખંડમાં ક્ષત્રીય કુંડગ્રામને વિષે સિદ્ધાર્થ રાજા પિતા, ત્રિશલા દેવીરાણી માતાની કુક્ષિ શ્રી મહાવીર સ્વામી જગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy