SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ પઢના લીખના ચાતુરી, યહ બાતે હે સહેલ; કામ દહન મન વશ કરન, ગગન ચઢને મુશ્કેલ. એસપ્લેનેડ તરફ આગળ વધતાં મ્યુઝીમવાળું ભવ્ય મકાન આવે છે. એ મૂકી થોડું વધારે આગળ જતાં જે ટ્રામ લાઈન અલીપર જાય છે ત્યાં જ “ ચીડીયાખાના” છે. વચમા ડાબા હાથ પર, લાઈનનીથી થોડે દૂર વિકટોરીયા મેમોરીઅલ આવે છે. કાલીઘાટ જવાની પણ ટ્રામ હોય છે. અહીં પણ રસ્તાના એકથી વધુ નામ છે. (૧) મંદિરમાં બહારની વાડીના ત્રણ અગ્રપદે છે. સ્વ. રાયબહાદુર બદ્રિદાસ મુકીમનું મીનાકારી કાચનું દેવાલય પ્રથમ પંકિતનું છે. હિંદીની અદ્ભુત કળાકૃતિઓમાંનું આ પણ એક છે. મંદિરની બાંધણી સાથે બાબુસાહેબની આવક વધતી જવાથી દ્રવ્યવ્યયમાં કંઈ પણ કમીના નથી રખાઈ આગ્રાના ભોંયરામાંથી દૈવી રીતે પ્રાટ થયેલ શ્રી શીતળનાથની પ્રભાવિક પ્રતિમાને સં. ૧૯૨૩ માં પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આરસને વિશાળ ચોક, ફરસબંધી તળાવ, સુરમ્ય બગીચો અને પંચરંગી મીનાકારી કાચની વિવિધ કારીગરીથી ઝળકી રહેલ આ મનોહર મંદિર Beauty of Bengal અર્થાત “બંગાલનું સૌન્દર્ય ' એ નામ સાથે જ સાર્થક કરે છે. વાડીમાં પગલાં પડતાં જ આ સુંદર દ્રશ્ય નિરખી આત્મા થનગની ઉઠે છે. મંદિરમાં પ્રવેશતાં ડાબા હાથ પરના ગોખલામાં એક પાનાની ને બે સ્ફટિકની મૂતિઓ છે. બીજી બાજુ જ્ઞાનભંડાર તથા ગણધરના બિંબ છે. ઉપરની છતમાં જૈન સાહિત્યમાંનાં જુદા જુદા કથા પ્રસંગે ચિત્રરૂપે આલેખ્યા છે. વચમાં એક વિશાલ ગુમર ટાંગેલું છે. મુખ્ય દ્વાર સામે જ બાબુજીનું પુતળું અને પાછળ હજ છે બાજઠ આદિ સાધનો પણ આરસના જ બનાવેલાં છે. હેજના આઠ ખૂણું પર આરસના આઠ પુતળાં બેસાડી દરેકને અકેક યંગળિક હાથમાં આપી, અષ્ટ મંગળિકના ભાવની ઠીક જમાવટ કરી છે. આ ઉપરાંત લીલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy