________________
સમાજની એકની એક સ્ત્રી-શિક્ષણ સંસ્થા શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ–પાલીતાણું
છત્રીસ છત્રીસ વર્ષથી પવિત્ર તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચળજીની પુનિત ભૂમિમાં જૈન સમાજની વિધવા, સધવા અને કુમારિકા બહેનને ધાર્મિક, વ્યવહારિક, ઔદ્યોગિક શિક્ષણ આપી સ્વાવલંબી અને સંસ્કારી બનાવી ઉપરોક્ત સંસ્થા ભારતભરમાં જૈન સમાજની મહાન સેવા બજાવી રહી છે.
સંસ્થામાં રહી શિક્ષણ અને સંસ્કાર મેળવી ઘણું બહેનો આજે દેશભરમાં ધાર્મિક પાઠશાળાઓ ચલાવી રહેલ છે. કેટલીક બહેને એ શ્રી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી છે. કુમારિકા બહેનો છાત્રોની જેમ છુટા થઈ આદર્શ ગૃહિણુઓ બની સરકારી જીવન ગાળી રહેલ છે, આ રીતે સંસ્થા સ્ત્રી–સમાજના ઉત્કર્ષ માટે અનેકવિધ પ્રયત્નો કરી. રહેલ છે.
આજના ભીષણ ઘવારીના સમયમાં સંસ્થાને પ્રતિ વર્ષ તટો પડે છે, જે જન સમાજના સખી ગૃહસ્થો પૂરો પાડી સંસ્થાને સહાયભૂત થતા રહ્યા છે. એજ આશા અને શ્રદ્ધા સાથે આવી સ્ત્રી ઉપયોગી સંસ્થાને સ્વાશ્રયો ને નિશ્ચિત બનાવવા માટે પ્રસંગે સહાય કરવા પૂજ્ય આચાર્યદેવ, મુનિ મહારાજ, સાધ્વીજી મહારાજે, પ્રત્યેક શ્રી સંઘ, દાનવીર ગૃહસ્થ તેમ સમાજ-સેવકોને નમ્ર વિનંતિ કરીએ છીએ. ગિરિરાજની યાત્રાએ પધારતા યાત્રિક ભાઈ–બહેનને સંસ્થાની મુલાકાતે પધારવા નમ્ર વિનંતિ છે.
હેડ ઓફિસ : શેઠ જીવતલાલ પ્રતાપશી ૯૭, સ્ટોક એક્સંઈજ બીલ્ડીંગ, કોટ, મુંબઈ નં. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org