SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ મન ચાહે ઘેડે ચડું, મોતી પહેરૂં કાન; ૨૧ કાવીને હાથ કમાન છે, છેડે ન વૃદ્ધ જુવાન. સામી બાજુએ મી બાપુલાલના બગીચામાં હમણાં જ નીકળેલી શ્રી પાર્શ્વનાથ તથા શ્રી અભિનંદન પ્રભુની મૂર્તિઓ છે. વર્ધાથી બ્રાંચ લાઈનમાં ભાંડકજી ગયા. પિણું માઈલની ફાસલ પર જુની નગરી ભદ્રાવતી આવેલી છે. પ્રાતઃકાળના ઠંડા સમયમાં ભીની સડક પર વનરાજ નિરખતાને શીતળી વાયુની લહેરી અનુભવતાં, વળી અંતરાળે ગ્રામ જનોના ઝુપડાઓ અવધકતાં, ઠીક આનંદથી ચાલ્યા. જાણે સાર્થવાહનો સથવારે રહી રહ્યો ! ઘામ સહકથી થોડી ઉંચાઈ એ જતાં, દક્ષીણ હાથે અતિ વિશાળ ચોગાનમાં, જ્યાં દરવાજા આગળ પાષાણના હાથીઓ ખડા છે, ત્યાં અંદરના ભાગમાં મોટું દેવાલય છે. દુરથી જ એનુ રમ્ય શિખર દ્રષ્ટીએ પડે છે. મુળનાયક તરીકે શ્યામવર્ણ. શ્રી કેશરીયાનાથજીની સામાન્ય રીતે મોટી ગણાય તેવી મૂર્તિ છે. લેક વાયકા પ્રમાણે પૂર્વે અહીં ભદ્રાવતી નામની અતિ સમૃદ્ધ શાલિની નગરી હતી. સાતસો તો જીનમંદિર હતાં. વાપિકાઓ ને કુવાઓથી આ પુરી શેભી રહી હતી. જેનેની વસ્તી વિપુલ હતી. એ વેળાના વૈભવ અને જાહોજલાલીના વર્ણન સાંભળતાં દિલ થડકતું. દેવળની પાછળના જંગલમાં ને સમિપના સુકા સરોવરમાં આજે પણ પથરાને ઢગ દેખાય છે. એમાં કારીગરીવાળા થાંભલા, બારશાખ-તરણ અને ચેરી આદિના છુટા છવાયા અવશેષો જણાય છે, તેમજ ભગ્ન મૂર્તિઓના અવયવો માલુમ પડે છે, જે ઉપરોક્ત વાતને પુષ્ટિ આપે છે. ઘુમટ કમાનાના ટુકડાઓ જમીન ખોદતા ધણીવાર નીકળે છે. ગામમાં ખંડીયેર દરવાજે છે, એ પરની કરામત જોતા પૂર્વે આ સ્થાને કોઈ મેરી નગરી હશે એમ અનુમાની શકાય છે. મંદિરના પાછલા ભાગમાં ઘણું સંતરાના વૃક્ષો ઉગાડેલા છે - જ્યારે આગલા ભાગમા ચેતરફ ફરતી ધર્મશાળા ને વચમાં બાગ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy