SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંજો પીતા જગતમાં. લાજ ઘટે બહુવાર; ૩૪t ગંજેરી કેફી કહે, નિંદે લેક અપાર. અભિષેક સમયની છે, એ જ દિવાલમાં આગળ જૈન સાધુની સુંદર મૂતિ દર્શનીય છે. ધર્મોપદેશ સાંભળતાં શ્રાવક-શ્રાવિકા હાથ જોડી બેઠા છે. આ દ્રશ્ય સુંદર છે તીર્થકરના પાંચ કલ્યાણકે નજરે પડે છે. કીર્તિસ્તંભ સાત માળને છે. શ્રી મહાવીર સ્વામીનું મંદિર, બીજુ જૈન મંદિર છે જેમાં સુકોશલ મુનિરાજ વગેરેના ઉપસર્ગની મુર્તિ છે, સતાવીશ દેવળ બડીપળ પાસે છે; શંગાર ચોકી જજૂના રાજમહેલ પાસે છે. હમણાં આચાર્ય શ્રી કલ્યાણસુરીશ્વરજીના ઉપદેશથી શ્રી ચિતડ ગઢ જન ગુરૂકુલ સ્થાપ્યું છે, અજમેર અમદાવાદથી દિલ્હી જતી રેલવે લાઈનમાં મારવાઢ જંકશનથી અજમેર જવાય છે. રાજપૂતાનાના મધ્ય ભાગમાં વસેલું જુનું શહેર ગણાય છે. અજમેર પૃથ્વીરાજ ચૌહાણનું જન્મસ્થાન છે લાખણકોટડીમાં સંભવનાથનું મેટું મંદિર છે, બીજું મંદિર શ્રી ગેડીપાર્શ્વનાથજીનું છે. ત્રીજું કઠીનું મંદિર છે તેમાં શ્રી ઋષભ દેવ ભગવાનની મૂર્તિ છે. શેઠ બુદ્ધકરણજી મતાનું ગૃહમંદિર જેવા જેવું છે. તેમાં ચંદ્રપ્રભુની સ્ફટિકની મૂતિ છે ગામ બહાર મોટી વિશાળ દાદાવાડી છે. ખરતર ગચ્છના મહાન આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજીની સ્વગભૂમિ છે. સ્થાન ચમત્કારી છે; અહી. શ્રી ભાગચંદ્રજી સોનીનું સુંદર કારીગરીવાળું દિગંબર ભવ્ય મંદિર પણ જોવાલાયક છે. અજમેરમાં એક મ્યુઝીયમ છે તેમાં અનેક પ્રાચીન જૈન મૂર્તિઓ છે. અહીં ભગવાન મહાવીર પછી ૮૪ વર્ષ વીત્યા બાદ જે મંદિર બન્યું હતું, તેનો જૂનો શીલાલેખ છે. ઓસવાલ જૈન હાઈસ્કૂલ પણ ચાલે છે. મુસલમાની ખ્વાજાપીરની દરગાહ પ્રસિદ્ધ સ્થાન છે. સમ્રાટું અકબરે આ તીર્થની પગે ચાલતાં યાત્રા કરી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy