SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ કડવો હાયે લીંબડે, પણ તસ મીઠી છાંય; ૨૯૭ બંધવ તેય અબોલડા, તેય પોતાની બાંય. આ મૂર્તિ સ્થાપિત થઈ. ભગવાન રામચંદ્ર લંકા જીત્યા પછી મૂર્તિ અયોધ્યા લાવ્યા ત્યાંથી ઉજજૈનીમાં સ્થાપી. મયણાસુંદરીની પૂજાભકિતથી તેના પતિ શ્રીપાલ રાજાને કાઢ ચયો ત્યાંથી પ્રતિમાજી ધુલ આવ્યા અને ધુલેવમાં પ્રગટ થયા. બાવન છનાલયની દેરીઓ તથા બહારનું જગવલ્લભ પાર્થ નાથનું મંદિર પણ દર્શનીય છે. દેલવાડા-દેવકુળપાટક એકલિંગજીથી ૩-૪ માઈલ દૂર દેલવાડા ગામ છે. દેલવાડામાં અનેક પ્રાચીન જૈન મંદિરે હતાં. હાલમાં ત્રણ મંદિરે વિદ્યમાન છે. આ દેવકુળ પાયક પ્રાચીન સમયમાં ભવ્ય વિશાળ નગર હતું. પંદરમી સોળમી શતાબ્દી સુધી આ શહેરની જાહોજલાલી ઘણું હતી અહીં ઘણું મંદિર હતા. કહેવાય છે ત્રણસો ઘટના નાદ સંભળાતાં. આચાર્ય સોમસુંદરસૂરિ અહીં ઘણી વખત પધાર્યા હતા અને અને પ્રતિષ્ઠા કરાવી હતી. આ ઉપરાંત શ્રી જિનવર્ધનસુરિ, જિન સાગરસૂરિ, સર્વાનંદસૂર વગેરે પણ પધાર્યા હતા અને પ્રતિષ્ઠાઓ કરાવી હતી. હાલમાં જે ત્રણ મંદિરે છે તે પણ ઘણું વિશાળ અને બાવન જિનાલયના છે. તેમાં ભોંયરા પણ છે, વિશાળ જિનમૂર્તિઓ ઉપરાંત ઘુમૂર્તિઓ પણ છે. જીર્ણોદ્ધાર વખતે ૧૨૪ મુતિઓ જમીનમાંથી નીકળી હતી. ત્રણ મંદિરમાંથી બેમાં શ્રી આદીશ્વર ભગવાન અને એકમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન છે એક ચોથું મંદિર યતિજીનું છે. અહીં શત્રુજ્ય ગિરનારની સ્થાપનાનો ઉલ્લેખ છે, આ સ્થાન તીર્થ ગણાય છે. કરેડા ઉદયપુર ચિતોડ રેલવેના કરડા સ્ટેશનથી પિણમાઈલ દૂર સફેદ પાષાણનું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું વિશાળ મંદિર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy