SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ અવગુણ ઉપર ગુણ કરે, એ સજજન અભ્યાસ; ૨૯૧ સુખડ જે સળગાવીએ, આપે સરસ સુવાસ. પાટણથી પચાસ ગાડાં ભરી શાસ્ત્રો-તાડપત્રો વગેરે અહીં જેસલમેર મેકલાયાં હતાં. આ શ્રી જિનભસૂરિએ બધા ગ્રંથરત્નોની સારી વ્યવસ્થા કરી હતી. હમણાં આગમન પ્રભાકર વિદ્વાન મુનિરન શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીએ ભારે પરિશ્રમ લઈને જેસલમેરના ગ્રંથરત્નનું ઝીણવટથી નિરીક્ષણ કર્યું છે. અને તેમના અનુપમ–પ્રાચીન ગ્રંથરત્નોના ફોટાઓ માઈક પદ્ધતિ લેવરાવ્યા છે. અમરસાગર. જેસલમેરથી એક કેસ દૂર અમરસાગર છે. અહીં અનેક બગીચાઓ આરામના સ્થાનો અને ધર્મશાળાઓ તેમજ ત્રણ સુંદર જૈન મંદિરે છે. ૧ બાફણું ગોત્રીય શેઠ હિમ્મત રાયજીએ બંધાવ્યું. છે. મૂળનાયક શ્રી આદીનાથ ભગવાન છે. ૨ બફાણું સવાઈરામે બંધાવ્યું છે તેમાં મૂળનાયક શ્રી ઋષભદેવની પ્રતિમા છે. ૩ આ મંદિર પંચે તરફથી બન્યું છે. આમાં પણ મૂળનાયક શ્રી ઋષભદેવની પ્રતિમા બહુ જ સુંદર તથા મનોહર છે. અમર સાગરમાં પીળા પત્થરની મોટી ખાણે છે. આ પત્થરની ખૂબી એ છે કે જેમ જેમ પાણી પડે તેમ તેમ આ પત્થર મજબૂત બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy