SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ દુર્જન કી કૃપા બુરી, ભલી સજન કી ત્રાસઃ - જબ બાદલ ગરમી કરે, તબ વરસન કી આશ. મપરા, નવાપરા, છાપરીઆ શેરી, હરિપરા, આદિ લત્તાઓમાં અનેક ઉપાશ્રયે છે. જ્ઞાનભંડારો, પુસ્તકાલયો પણ અહિં સારી સંખ્યામાં છે. ગોપીપુરાના નાકા પર “શ્રી જનાનંદ પુસ્તકાલય' ને જ્ઞાન ભંડાર સમૃદ્ધ તેમજ વ્યવસ્થિત છે. પ્રાચીન, અર્વાચીન દરેક દરેક વિષયના હસ્તલિખિત, મુદ્રિત હજારો પ્રત-પુસ્તકે અહિં સંગ્રહ છે. તેમજ આ. શ્રી. વિજયકમલસૂરિજી હસ્તલિખિત પ્રતા સંગ્રહ પણ આ મકામાં છે. ગોપીપુરામાં મેટા રસ્તા પર શ્રી મોહનલાલજી જૈન જ્ઞાનભંડાર પણું સુંદર છે. તેમજ વડાચૌટામાં પણ સારો જ્ઞાનભંડાર છે. જન તામ્રપત્રામમંદિર-આ બધા પ્રાચીન જિનમંદિર, જ્ઞાનભંડારો જેમાં સુરત શહેરની શોભારૂપ છે, તે રીતે શહેરની શભામાં વિશેષ વધારે કરનાર હમણું જ નવું બંધાયેલ શ્રી વર્ધમાન તામ્રપત્રાગમમંદિર ઓર દીપી ઉઠે છે. સમસ્ત હિદમાં આવું સુંદર શ્રતજ્ઞાના તથા દર્શનાચારનું પ્રભાવક ભવ્ય મંદિર આ એકજ છે. પૂ. પાદ આગને દ્ધારક સ્વ. આચાર્ય મહારાજશ્રી સાગરાનંદસૂરીશ્વરજીની અવિરત જ્ઞાન સાધનાનું મૂર્તિમંત પ્રતિક અહિં જાણે ખડું હેય તેવું રમણિય મંદિર આ શહેરમાં તેના પ્રભાવને દીપાવતુ ઉભું છે. ગોપીપુરામાં એસવાલા મહોલ્લાના પાછલા નાકા પર, વિશાલચોકમાં ભોંયરા તેમજ ઉપર મજલાવાળું ગગનચુંબી રમણીય દેવવિમાન જેવું આ દેરાસર ખૂબ જ મનહર છે. મૂલન યક શ્રી મહાવીર ભગવંતની મૂતિ પણ તેજસ્વી તથા સુપ્રસન્ન છે. ત્રાંબાના પતરાઓ પર સ્વચ્છ અક્ષરોથી મરોડદાર લિપિઓમાં ૪૫ આગમ મૂલ અહિ અંકિત થયેલાં જેમ શત્રુંજયની તલાટી પર આગમ મંદિરમાં આરસના પત્થર પર ૪૫ આગમો ઉત્કીર્ણ કરેલાં છે તે રીતે અહિ તામ્રપત્ર પર છે, ૧૨ મહિનાના ટુંકા માળામાં આવું, ત્રણ મજલાનું ભવ્ય જિનમંદિર તૈયાર થયેલું જોઈ જાણુને ખરેખર આશ્ચર્ય સાથે શ્રદ્ધા, ભક્તિ, તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy