SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ રાખી ઘરેણું રોકડું, આપે નાણું જેહ: ૧૯૯ સો મણ કેર ગાદલે, સુખે ઉંધશે તેહ. પાછળ ભ. શ્રી ઋષભદેવ સ્વામીના પૂર્વભવ, પંચકલ્યાણ આદિના પ્રસંગોનું ભવ્ય ચિત્રકામ તૈયાર થયું તથા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ. મનમોહન પાર્શ્વનાથ, શ્રી મલ્લિનાથ ભગવાન, શ્રી મહાવીર સ્વામી ભ. આદિ ભવ્ય મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યાં છે. જે દ્વારા જે શ્રી શંખેશ્વર, ભોયણું, પાનસર, તેમજ કંઈ તીર્થની સ્થાપના અહિ કરવામાં આવી છે, ગામના નાકા પર દેરાસરની જેડે ભવ્ય આલિશાને રાજમહેલ જેવી મનોહર ધર્મશાળા લગભગ સવા લાખના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. ધર્મશાળામાં દરેક પ્રકારની સગવડ છે. ધર્મશાળાની બાજુની જગ્યા પણ યાત્રાળુઓના ઉપયોગ માટે લેવાયેલી છે. એકંદર ઉપરીયાળાજી તીર્થ વર્તમાનકાળમાં સુંદર સાધનોથી સજ્જ થતાં યાંત્રિક પ્રવાસિયો માટે અનેક સુવિધાવાળું છે. ભેજનશાળા પણ ચાલુ છે. તીર્થની વ્યવસ્થા કરનારી વહિવટદાર કમિટિ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના નામે વહિયટ કરે છે. એની મુખ્ય ઓફીસ અમદાવાદમાં શ્રી વિજયદાનસુરિ જૈનજ્ઞાન મંદિરના મકાનમાં છે. ઉપરીયાળા જવા માટે મોટરનું સાધન સગવડવાળું છે. સ્ટેશન પર પણ પેઢી તરફથી યાત્રિકોને લેવા-મૂકવા માટે ગાડીની વ્યવસ્થા છે. સ્ટેશનથી ગામ સુધી સડક છે. સ્ટેશન ઉપર યણ યાત્રિકોને બેસવા-ઉઠવા માટે પ્લેટફોર્મ તથા એરડી છે. - વીરમગામ ગુજરાત-સૌરાષ્ટ્રના સંધિ ભાગમાં આવેલું આ શહેર રેલ્વેનું મથક ગયાય છે. સૌરાષ્ટ્ર જતી રેલ્વે લાઈને અહિથી જ પસાર થાય છે. સૌરાષ્ટ્રના પ્રવાસીને હિંદને કઈ પણ ખૂણામાં જવું હોય ત્યારે વિરમગામ સ્ટેશનને ઉલંધવું પડે છે. જો કે ધંધુકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy