SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ વણ પરણેલો પરણવા, પર તજવા જાય; ૧૮૯ લક્કડ લાડુ ખાય તે, ન ખાય તે પસ્તાય. દેરાસરની હામે શંખેશ્વરજીની તીર્થની વ્યવસ્થા કરનારી શેઠ જીવણદાસ ગોડીદાસની પેઢી છે. આ પેઢીને વહીવટ અમદાવાદના શેઠ જમનાભાઈ ભગુભાઈ હસ્તક ત્યાંના ગૃહસ્થની કમિટિ કરે છે. પેઢીથી આગળ જતાં જમણી બાજુ ઉપાશ્રય આવે છે. જે રાધનપુરના ધર્મપ્રેમી ભાઈ હરગોવન મણિયાર અને તેમના ભાઈઓએ બંધાવ્યો છે. તે કમ્પાઉન્ડમાં મોટી ધર્મશાળા છે. અહિં છ ધર્મશાળાઓ છે. યાત્રિક માટે ભોજનશાળાની વ્યવસ્થા છે. ભોજનશાળાને વહિવટ રાધનપુરના ગૃહસ્થે એક કમિટિ દ્વારા કરે છે. હમણાં નવું મકાન ભોજનશાળા માટે બંધાયું છે. તીર્થને વહિવટ આજે વ્યવસ્થિત ચાલે છે. સાધનાની અગવડ હોવા છતાં યાત્રાળુઓ ભાવપૂર્વક આ તીર્થની યાત્રા માટે દરરોજ આવતા જ રહે છે. એકંદરે આ સ્થાન શાંત, રમણીય, તથા ગમી જાય તેવું છે.. જીવનમાં એકવાર તો અવશ્ય આ તીર્થની યાત્રા કરવા જેવી છે. તીર્થને પ્રભાવ, માહામ્ય તથા અતિશય કોઈ અપૂર્વ છે. રાધનપુર-શંખેશ્વરજીથી ૩૦ માઈલ દૂર રાધનપુર શહેર આવેલું ? છે. ઉત્તર ગુજરાતના ઠેઠ છેડે વસેલું આ શહેર જેની સારી વસતિ ધરાવે છે. હાલ જેનોના ૭૦૦ ઘરો છે. ૨૬ દેરાસરો છે. રાધનપુર શ્રદ્ધાળ જૈનોની વસ્તીવાળું રમણીય શહેર છે. ક્રિયારૂચિ ધરાવનાર શ્રાવક-શ્રાવિકા સમુદાય અહિં સારી સંખ્યામાં છે. બજારની મધ્યમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું બાવન જિનાલયનું સુંદર દેરાસર આવેલું છે. આ ઉપરાંત આદીશ્વરજીનું મોટું દેરાસર, કમળશીભાઈનું કલ્યાણ પાર્શ્વનાથનું દેરાસર, ભોંયરાવાળું શ્રી શાંતિનાથનું દેરાસર વગેરે મુખ્ય મુખ્ય છે, શહેરમાં શ્રી વર્ધમાન તપ આયંબીલ ખાતું, ઉપાશ્રયે જ્ઞાનશાળા, શિક્ષણ સંસ્થા, બોડીગ ઈત્યાદિ ધર્મસ્થાને તથા શિક્ષણસ્થાને રળીયામણું છે. શહેરની જૈન વસતિને મેટ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy