SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ વિવેક વિનાનો માનવી, સમજે પશુ સમાન; વાનરને પણ છે જુઓ, હાથ પગ મુખ કાન. પવિત્ર દિવસે જૈનમાત્ર આ દેરાસરની યાત્રાએ આવે છે, તપસ્વીએ મેના, પાલખીમાં બેસીને દાન દેતાં દેતાં શ્રી શિખરજીની પોળનાં દેરાસરે દર્શન કદવા આવે છે. પૂ. આચાર્યદેવ આદિમુનિરાજ શ્રી ચતુવિઘ સંઘની સાથે વાજતેગાજતે આ સ્થાનની યાત્રા કરવા આવે છે. આ દેરાસરમાં મૂળનાયક શ્રી સહસ્ત્રફણા પાશ્વનાથનાં ભવ્ય પ્રતિમા છે. દેરાસરના રંગ મંડપમાં શ્રી સમેતશિખરજીની કાષ્ટની ભવ્ય રચના છે. લાકડાં ઉપર આખોય શિખરનો પહાડ, વિવિધ વનસ્પતિઓ, સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા, દેવ, દેવીઓ વગેરેની કથા સુંદર દેરીઓની નાનાવિધિ રંગમાં રચનાઓ કરેલી છે. આ રચનાની ખૂબી એ છે કે, આમાં યાંત્રિક કામ કરેલું છે જેથી યંત્રથી ચાવી ફેરવતાં આખીએ રચના ગોળ ચક્કર ચક્કર ફરી શકે છે. આજે તે રચના પરનું ચિત્રકામ જુનું થયું છે. જે કુશલ કલાકારનાં હાથે જીણોદ્ધાર માંગે છે. બધાએ અમદાવાદ શહેરનાં બધા મંદિરે કરતાં આ દેરાસરમાં આજ એક વિશિષ્ટતા સહુ કોઈનું ધ્યાન ખેંચે છે. કાળુપુરનાં દહેરાં શહેરને કાલુપુર રેડન લો જેનેની વસતિ, દેરાસર તથા ઉપાશ્રયેથી ભરચક ભરેલો છે. તેમાંયે હાજા પટેલની પળની બધીયે મોટી પોળો વિશાશ્રીમાળી જૈનોની હજારે ઘરની વરિવથી ભરભૂર છે, એ એક પોળમાં સુંદર નયન મનોહર જિન મંદિર આવેલાં છે. શહેરની સેવાભાવી જૈન સંસ્થા શ્રી શાંતિચંદ્ર સેવાસમાજનું જન્મસ્થાન, તથા સંસ્થાનું નામ જે તારક જિનેશ્વર ભગવંતનાં પુણ્યભિધાનથી સંકળાયેલું છે. તે શ્રી શાંતિનાથ ભગવાનનું સુંદર દેરાસર, તથા શ્રી ચંદ્રપ્રભવસ્વામીનું દેરાસર હાજાપટેલની પળમાં શ્રી શાંતિનાથજીની પોળમાં આવેલાં છે. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy