SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ રાગ દેષ જાકું નહિ, તાકું કાળ ન ખાય; કાળ જીત જગતમેં રહે, એ ઉત્તમ ઉપાય. સિંહના સમયમાં સજજન મંત્રીએ પણ અહિં જીદ્ધાર કરાવ્યો છે. આ ઉદ્ધાર તેમણે વિ. સં. ૧૧૮૫ લગભગ કરાવ્યો હતો. જેમાં સેરઠ દેશની ઉપજ ખચી હતી. બાદ મહારાજા સિદ્ધરાજે એ ઉપજ પિતાના ભંડારમાંથી ભરી, નૂતન જિનમંદિર બંધાવ્યાને પુણ્ય લાભ મેળવ્યો હતો. મહારાજા કુમાળપાળના રાજ્યકાળમાં સજજન મંત્રીના બંધુ આમ્રભટ, ગિરનાર પર પગથી આ બંધાવ્યાની હકીકત પણ ઈતિહાસમાંથી મળી રહે છે. મૂલનાયકના પ્રતિમાજીને એક ઈતિહાસ એ છે કે, ગઈ વીશીના ત્રીજા તીર્થંકરદેવ શ્રી સાગરના ઉપદેશથી પાંચમા દેવલોકના ઈ. આ પ્રતિમાજી ભરાવ્યા હતા. તે ભ૦ નેમિનાથના કાળ સુધી ત્યાં દેવલેકમાં રહ્યા. બાદ શ્રીકૃષ્ણ વાસુદેવના ગૃહમંદિરમાં રહ્યા, અને દ્વારિકાદાસ વેળાયે અંબિકા દેવીનાં વિમાનમાં હતા. બાદ રત્નશાહ શ્રાવકની ભક્તિથી દેવીએ અહિં સ્થાપન ક્યાં છે. આજે આ પ્રતિમાજીને અસંખ્યાતા વર્ષો વીતી ગયા છે. મૂલનાયકના મંદિરની પાળ જગમાલનું દેરાસર છે. તેમાં શ્રી આદીશ્વર મ.નાં પ્રતિમાજી છે. આ ટુંકમાં ભેંયરામાં શ્રી અમીઝરા પાર્શ્વનાથજીની સુંદર સુપ્રસન્ન, તેજસ્વી પ્રતિમાજી છે. જે સંપ્રતિ મહારાજાના સમયના છે. ડાબી બાજુએ ગુફામાં નેમિનાગ ભગવાનના પ્રાચીન પ્રતિમાજી છે. ચેકમા મોટી પ્રદક્ષિણુમાં પ્રતિમાજી તથા પગલાઓ છે. તેમાં મૂલનાયકના મોટા પગલાં છે. દરવાજા બહાર જમણી બાજુએ શ્રી અંબિકાદેવીની મૂર્તિ છે. ટુંકમાં ઉત્તર તરફ અદબદજીની શ્રી કષભદેવ મ. ની મોટી મૂર્તિ છે. સામે પાંચ મેરૂનું મંદિર છે. ચારે બાજુ ચાર મેરૂ, વચમાં એક મેરૂ, આ પાંચેય મેરૂમાં ચૌમુખજીની પ્રતિમાજી બિરાજમાન છે. માનસંગ ભેજરાજની ટુંક–શ્રી નેમિનાથ દાદાની ટુંકના દરવાજા સામે માનસંગ ભોજરાજની ટુંક છે. તેમાં એક મંદિર છે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy