SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ બહુત ગઈ છેડી રહી, થોડી ભી ચલે જાય; થોડી દેરકે કારણે, તાલમેં ભંગ ન થાય. છે. શ્રેયાંસનાથ. આગળના ભાગમાં પાઠશાળા બેસે છે. (૫) આદી શ્વરજી. અહીં જાળીઓની કરણી, મીનાકારી કામ, રંગમંડપમાં ઝરૂખાવાળી બેન્કે પ્રેક્ષણીય છે. સામેસામે કમરામાં બિંબ ઉપરાંત શ્રી આત્મારામજીની મૂર્તિ ને દાદાજીની પાદુકા છે. (૬) નેમિનાથમાળ ઉપર છે. (૭) કેશરીયાજી–ગભારામાં બીજી મૂતિઓ છે, બહાર દાદાજીની પાદુકા. (૮) ઘરદેરાસર-ધાતુબિંબ-સુમતિનાથ કનૈયાલાલજી ઠ્ઠાના મકાનમાં. ૯) ઘરદેરાસર-અજિતનાથ શેઠ ગુલાબચંદજી હદ્દાના મકાનમાં મજાર માગ ઓળંગી સામેની ગલીમાં છે. સોહનમલ રાજમલ શેઠીને ત્યાં મીનાકારી વાસણને મોટો સંગ્રહ છે જે જોવા લાયક્ર છે. દાદાવાડી-સાંગાનેરી દરવાજેથી અર્ધા માઈલ પર બગીચામાં સુંદર દેવાલય છે. પાર્શ્વનાથની મનહર મૂતિ, ડાબા જમણી વીરપ્રભુ ને આદિનાથ છે. રંગમંડપના સોનેરી ચિત્રામણુમાં જૈનકથાપ્રસંગેના આલેખન છે. સામે દાદાજીની છત્રી છે. મનવાડી–ગલતા દરવાજા બહાર થઈ, ગલતા ટેકરી તરફ જતી સડકે, તળેટીના ભાગ આગળ જમણું હાથ પરના વિશાળ કિલ્લામાં વચમાં મંદિર છે, એમાં શામળીયાજી તથા ત્રિગઢ પર છત્રી નીચે કેશરીયાજીના ચરણ અને બહારની બાજુ દાદાજીના પગલાં તથા હેજ ને ગુરુદેવના પાદુકા છે. ગલતાની ટેકરી પર મહાદેવની દોરી ને બાજુમાં થઈ પાણુને ધોધ પડે છે. ત્યાંની પાછા ફરી તેની સમદિશામાં આવેલાં “ઘાટ” તરફ જવું. બે ટેકરા વચ્ચે થઈ નીચાણ તરફ વળતો ભાગ, ઉભય બાજુ બેઠકેવાળી છત્રીઓ ને નાના મોટા મંદિરથી સ્થાન શોભનિક લાગે છે. માનવાડી ને આ ઘાટ વચ્ચે આરસની ખાણ છે, ઘાટ ઉતરતાં જમણા હાથે ખૂણું પર પદ્મપ્રભુનું દહેરું છે. આરસની છત્રીમાં મૂળનાયક ઉપરાંત બીજા પણ બિબેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy