SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ નમે છે આંબા આંબલી, નમે છે દાડમ દાખ; એરંડે બીચારો શું નમે, જેની ઓછી શાખ. મંદિરમાં જવાય છે. વિશ્વરનું શિખર સુવર્ણ કળશમંડિત હાઈ શભનિ છે. વેદિકા મધ્યે નાનાશા શિવલિંગ ફરતાં સંખ્યાબંધ બ્રાહ્મણે બેઠાં જ હોય છે. અહીં સખત ભીડ રહે છે. પાછળના ભાગે મસીદ છે. લેકવાયકા એવી છે કે મસીદ ઓરંગઝેબે ને મંદિર અહલ્યાબાઈએ બંધાવેલ છે. ગલી બહાર થઈ બીજા મંદિરમાં જતાં એક ભેંયરા જે ભાગ આવે છે. અસલ એ જગ્યા કરવત મૂકાવાની હતી. ત્યાંથી સરિયામ માર્ગ પર આવતાં ઠઠેરી બજાર આવે છે. ગલીમાંના રસ્તા ઘણુંખરા પત્થરબંધી છે. ભદૈની ઘાટથી સીધી સડકે ત્રણેક માઈલ જતાં રક્તવણું પ્રાચીન બાંધણીનો ભાવ સૂચવતા સુંદર મકાનો હારબંધ જણાય છે. એ સ્થાન તે જ ભારતભૂષણ માલવીયાજી સ્થાપિત હિંદુ યુનિવર્સિટી. દેશ દેશના યુવક યુવતીઓ અધ્યયન નિમિત્તે અહીં વસેલાં છે. વિવિધવણું પહેરવેશથી સારાય હિંનું પ્રનિનિધિત્વ અહીં જણાય છે. જગ્યાની વિશાળતામાં થોડા છેડા અંતરે ફિમેલ હોસ્ટેલ, કુલપતિગૃહ, આચાર્યાનિવાસ, જોડાજોડ બે વિદ્યાર્થીનિવાસો, લેકચરહેલ અને ફિલોસોફી, આર્ટ અને સાયન્સ આદિના ત્રણ મજલાની ઊંચાઈવાળા વિદ્યાપીઠે ખાસ દર્શનીય છે. આ નગરી તાંબા પિત્તળના વાસણોની કારીગરી માટે તેમજ રિશમી સાડીઓ તથા ખંડ માટે પ્રસિદ્ધ છે. એ બધો ઠાઠ ઠઠેરી બજાર આગળ સવિશેષ છે. જેન તેમજ બૌદ્ધધર્મીઓનું પણ આ યાત્રાસ્થળ છે. પુરુષાદાની પાર્શ્વનાથ તથા સુપાર્શ્વનાથના કલ્યાણકે આ પુરીમાં જ થયાં છે. કમઠ જોગી સમક્ષ લાકડામાંથી બળતો સપ પાશ્વકુમારે આ ગંગાનદીના કાંઠે કાઢી બતાવે. પ્રભાવતી રાણી સાથે વસંત ક્રીડાને આનંદ પણ આ ભૂમિ પર જ લૂટેલો. વળી ચંદ્રપુરી ને સિંહપુરી જેવી કલ્યાણકભૂમિઓ તેમજ બુદ્ધવિહાર સારનાથ જવા સારુ આ તિ નાકું ગણાય. આમ કાશી, બનારસનું મહત્ત્વ તે આજે પણ બને જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy