SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ - - પાય નારી પર વસ્તુને, છેટેથી તજનાર; પાય ન મૂકે પાપમાં, તે સજજન શીરહાર. સીઓને જોવામાં ઠીક આનંદ પડનો. ચૈત્ય નજીક પહોંચતાં જ દક્ષિણ બાજુએ એક સુંદર આમ્રવન દેખાય છે. પછી નવું બંધાતું દિગંબર મંદિર અને વાંક લેતાં જ મેટર ધર્મશાળાની સામે ખડી થાય છે. સરાઈમ સગવડ સારી છે. એમાંની ડાબી બાજુની બારીએથી નિકળતાં સામે જ મનોહર સરોવર ભએ સુંદરાકૃતિ દેવાલય શોભી રહેલું દષ્ટિગોચર થાય છે. સરોવરમાં વિહરતી ને કોલ કરતી સંખ્યાબંધ બતક અને પાછળ ભાગે દૂર દેખાતો રાજગરી પહાડ કઈ અનુપમ દેખાવ રજૂ કરે છે. મંદિરમાં જવાના પગથાર પર ઉભા રહી જતાં કોઈ અનેરું દૃધ્ય ભાસે છે! શિખરબંધી આ ચૈત્યમાં પૂર્વાભિમુખે મૂળનાયક શ્રી મહાવીર દેવ બિરાજે છે. ચોતરફના ખૂણાઓમાં તેમજ પાછળના ભાગમાં શ્યામવર્ણ પાદુકાઓ ઠીક સંખ્યામાં છે. મંદિર નાનું છતાં બાંધણી શોભનિક છે. અખૂટ જળ વચ્ચે આવેલ આ સ્થાન આહલાદજનક છે. આ તે જ પવિત્ર ભૂમિ છે કે જ્યાં ચરમ જિનપતિ મહાવીર દેવે ચૌદ માસા હતા શ્રી ગૌતમની તે આ કેવલભૂમિ કહેવાય છે, પાદુકામાં ગૌતમગણઘટ ઉપરાંત વીસ જિન અગ્નિખૂણે, અદીશ્વરજી નૈરૂત્યમાં, નેમનાથ વાવ્યમાં અને વાયુપૂજ્ય ઈશાન ખૂણલાં છે. આ રમ્યને નિવૃત્તિજનક સ્થળ રાજગૃહીથી ૧૨, તથા પાવાપુરીથી સીધા ભાગે ૧૪ માઈલ પર છે. દક્ષિણઅગ્નિમાં કેડાર, ગિરિડી યાને શિખરજી ૧૩૦ માઈલ છે. પૂર્વમાં જ્ઞત્રિયકુંડ ૩૬ માઈલ દૂર છે. વળી દોઢેક માઈલ દૂર નવોદા સ્ટેશન છે. ત્યાં ચીજ-વસ્તુઓ મળે છે. વહીવટ ધનલાલજી બાબુ કરે છે. ૬ પાવાપુરી આ તરફની બસોમાં ત્રીસ પેસેન્જરો બેસે તેવી સગવડ હોય છે. ઉપર સામાન પણ રાખી શકાય છે. ગુણીયાજીમાં પૂજા કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy