________________
૧૫૭
સ્વભાવ સાથે મિશ્રિત થએલા નથી. માટે જ્યારે કોઇ પણ પદાર્થનું ખરેખરૂં સ્વરૂપ જાણવું હેાય ત્યારે સાથે એ પણ જાણવું જોઇએ કે, બીજા કયા કયા પદાર્થો છે અને એના સ્વભાવા પણ કેવા કેવા છે ? આ જાતના જ્ઞાન સિવાય કોઇ પણ મનુષ્ય પદાર્થનું પૃથક્કરણ કરી શકતા નથી, તેમ તેના સ્વતંત્ર સ્વભાવને પણ એળખી શકતા નથી. આ રીતે વિચાર કરી જોતાં તે એમ જાણી શકાય છે કે, એક ઘડાનું જ્ઞાન મેળવવા માટે તેનાથી જુદા ખીજા અનેક પદાર્થો અને તેના સ્વભાવાને જાણવાની ખાસ જરૂર છે માટે જ એમ નક્કી કરવું ઊંચત છે કે, જે કપડાના ગુણા કે ધર્મો છે તેએ પણ કાઇ અપેક્ષાએ ધડાના હાઇ શકે છે અને છે. આ વિષે ભાષ્યકારે એમ જણાવ્યું છે કે, “જેના જાણ્યા સિવાય જેનું જ્ઞાન થઇ શકે નહિ અને જેના જાણવાથી જેનું જ્ઞાન થઇ શકે એ બન્ને વચ્ચે ચાક્કસ કાષ્ઠ પ્રકારના સંબધ હા જોઇએ-જેમ ઘડા અને એના રૂપ વિગેરે ગુણો નામનેા સંબંધ છે તેમ એ બે વચ્ચે પણ એવે જ હાય ? '' માટે હવે આ વાત નક્કી થાય છે કે, જે કપડા વિગેરેના ગુણા કે ધર્મો છે તે કાઇ અપેક્ષાએ ઘડાની સાથે પણ સંબધ ધરાવી રહ્યા છે. જે પર-પર્યાયે છે તે, સ્વ-પર્યાયે કરતાં અનંતગુણા છે અને એ બન્ને મળીને જેટલા સ દ્રવ્યેાના પર્યાયેા છે તેટલા છે. આ હકીકતને ઋષિઆએ પણ ૧આચારાંગ-સૂત્રમાં ટકા આપેલા છે. એમાં જણાવ્યું છે કે, “જે એકને જાણે છે તે બધાને જાણે છે અને જે બધાને જાણે છે તે એકને પણ જાણે છે” અર્થાત જે મનુષ્ય, માત્ર એક જ પદાર્થને એના બધા સ્વ-પરપર્યાયા સહિત ઍટલે એની અતીત દશા, વર્તમાન દશા અને ભવિષ્યની દશા એ બધું જાણતા હેાય તે જ મનુષ્ય બધું જાણી શકે છે અને જે મનુષ્ય એ બધું એટલે પદાર્થની અતીત દશા વિગેરે જાણતા હૈાય તે જ મનુષ્ય એક પદાર્થને ખરેખરી રીતે જાણી શકે છે. આ જ હકીકતને ખીજે ઠેકાણે પણ આ રીતે જણાવી છેઃ-‘જેણે બધી રીતે એક પદાર્થ ને જોયા છે તેણે બધી રીતે બધા પદા થેને જોયા છે અને જેણે બધી રીતે બધા પદાર્થોને જોયા છે તેણે એક પદાર્થ ને પણ બધી રીતે તેચે છે” ઉપર જણાવ્યું હતું કે, પ્રમાણવડે જે જે પદાર્થનું જ્ઞાન થાય છે તે પ્રત્યેક પદાર્થ, અનંત ધર્મવાળા છે અર્થાત્ પ્રમાણને
૧. જૂઓ આચાર-અંગસૂત્ર અ॰ ૩, ૩૦ ૪-(૪૦ ૧૭૧ સ૦):-અનુ
Jain Education International
For Private & Personal Use Only
વચ્ચે ધર્મ-ધર્મિભાવ સંબંધ શા માટે ન
www.jainelibrary.org