SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકનું નિવેદન પૂજ્ય શ્રી લાધાજીસ્વામી પુસ્તકાલય, જે સંસ્થા તરફથી આ પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે, તે જાહેર પ્રજાના ઉપયોગ માટે ખુલ્લું મૂકવામાં આવેલું એક પુસ્તકાલય છે. આ સંસ્થા તરફથી જૈન ધર્મનાં વિધવિધ પુસ્તકે આજસુધીમાં બહાર પાડવામાં આવ્યાં છે, અને વિશેષ પુસ્તકે ધીરેધીરે પ્રસિદ્ધ કરવાને તેને સંકલ્પ છે. સૂત્રાનુવાદોમાં આ પુસ્તક બીજું છે. બે વર્ષ પૂર્વે મુનિ શ્રી છોટાલાલજી અનુવાદિત “પ્રવ્યાકરણ સૂત્ર’ બહાર પાડવામાં આવ્યું હતું. પં. શ્રી. બેચરદાસજીએ સૂત્રગ્રંથ સંશોધાવી પ્રસિદ્ધ કરવાની કરેલી સૂચનાને પાર પાડવાનું સામર્થ્ય સંસ્થા ધરાવતી થાય એ અભિલાષ છે. સં. ૧૯૭૪ ના ભાદરવા મહિનામાં વઢવાણ કેમ્પમાં મુનિરાજ શ્રી છોટાલાલજી તથા મુનિ શ્રી લક્ષ્મીચંદ્રજી ચાતુર્માસ રહ્યા હતા, ત્યારે તેમને શ્રીમાન કવિવર શ્રી નાનાલાલ દલપતરામનો મેળાપ થયો. પૂર્વે પણ એવા અનેક મેળાપ થયા હતા. કવિશ્રીએ તે સમયે કહ્યું કે જૈન સાધુઓ જ્ઞાનદાન સંબંધે સંકુચિત વૃત્તિના હોય છે, કારણકે તેમને જે પુસ્તક ભકત તરફથી વહોરાવવામાં આવે છે તે તેઓ પિટી પટારામાં ગાંધી રાખી દેશ-દેશાંતરમાં વિહરે છે, અને પુસ્તક કેદમાં પુરાયેલાં પડયાં રહે છે–કાઈના ઉપયોગમાં આવતાં નથી આ કથનમાં મુનિરાજ શ્રી છોટાલાલજીને સત્ય રહેલું લાગ્યું અને તેમણે તથા મુનિ શ્રી લક્ષ્મીચંદ્રજીએ વિચાર કરી પિતાપિતાની પાસેનાં બધાં છાપેલાં પુસ્તક ૧૯૭૫ ને કારતક સુદી ૧ ના દિવસે ઉક્ત પુસ્તકાલયને અર્પણ કરી, કવિ શ્રી નાનાલાલને હસ્તે જ પુસ્તકાલય ખુલ્લું મુકાવ્યું; ત્યારથી જાહેર જનતા તેનો લાભ લઈ રહેલી છે. તે તે વખતે ૪પ૦ થી પ૦૦ ના આશરે પુસ્તક હતાં. તેની વ્યવસ્થા તે સમયે શ્રી. ગોપાળજી રૂઘનાથભાઈ (હાલ સાદરા પ્રાંત સાહેબના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004870
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherLaghaswami Pustakalaya Limbdi
Publication Year1935
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy