________________
૨૦૬
શ્રી રાયપસણય સુત્ત : ટિપણે શક્રસ્તવ પણ કહેલું છે પરંતુ તે અતિપ્રસિદ્ધ હોવાથી અહીં પૂરૂં આપેલું નથી. (“વતે તા: પ્રતિમા જૈવધિના પ્રસિદ્ધન, नमस्करोति पश्चात् प्रणिधानादियोगेन इति एके. अन्ये तु अभिदधतिविरतिमतामेव प्रसिद्धः चैत्यबन्दनविधिः अन्येषां तथाऽभ्युपगमपुरस्सरकायव्युत्सासिद्धेः इति वन्दते सामान्येन, नमस्करोति आशयवृद्धेः अभ्युत्थाननमस्कारेणेति । तत्त्वमत्र भगवन्तः परमर्षयः केवलिनो विदन्ति । अत ऊर्ध्व सूत्रं सुगमम, केवलं भूयान् विधिविषयो वाचनाभेद इति"પૃ. ૧૧૦ ) સદભાવ બતા
૧૧૮ પૂતળીઓ વગેરે તરફ સૂર્યાભદેવની પોતાની આ જાતની પ્રવૃત્તિ વિચિત્ર લાગે છે. શું તે બધીને સાફ કરવા તેણે એમ કર્યું હશે કે એને કોઈ બીજે જુદોજ હેતુ હશે ? સાફ કરવા માટે તો સૂર્યાભદેવના તાબામાં ઘણું આભિયોગિક દે રહે છે પરંતુ એવું કાર્ય સૂર્યાભદેવે જાતે કરીને તેવા સાફસુફ કરવાના કાર્ય તરફની લોકોની ધૃણા ટાળવાનો પણ કદાચ પ્રયત્ન કર્યો હોય. સૂચિત કર્યો
૧૧૯ આ કંડિકાથી તો સૂર્યાભદેવનો પુસ્તક પ્રતિ અતિ આદર સૂચિત થતો લાગે છે. આ પ્રવૃત્તિ કાંઈ પુસ્તક પૂજાની નથી. ખરી પુસ્તકપૂજા તો તેમાં લખેલું વાંચી વ્યવહારમાં મૂકવાથી થાય છે એમ તે વિબુધ જરૂર સમજતો હશે. અચનિકા
૧૨૦ સૂર્યાભદેવની આ આજ્ઞામાં બધું સાફસૂફ કરવાનું જણાતું લાગે છે, હાથકામ તરફ દેવાની ધૃણ ટાળવા માટે પણ એની આ આજ્ઞા હોય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org