________________
માનવા છતાં આદશને રજૂ કરનારાં જૂનાં સંસ્કરણ કેવળ ભ્રામક, ભાયાવી કે ભેળાઓને ભ્રમાવનારાં હતાં એમ સમજવાનું નથી, તે પ્રતિપાદનારાઓનાં જ્ઞાન દર્શન અને ચારિત્રને અપ્રામાણિક માનવામાં કશા કારણે હોતાં નથી; વાસ્તવિક સૃષ્ટિને પલટ અને આદર્શથી વિશેષ દૂર ગએલી તેની સ્થિતિ જ એવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને દર્શાવે છે કે જે નવીન સંસ્કરણ માંગી લે છે; અને તે જ દષ્ટિથી જૈન તત્ત્વજ્ઞાન ઉપર વિજ્ઞાન-દષ્ટિએ થએલાં વિવરણની મેં આવશ્યકતા દર્શાવી છે.
સૂત્રના તત્ત્વ વિષે પંડિતજીએ પ્રવેશકમાં સારી પેઠે સ્પષ્ટતા કરી છે એટલે તે વિષે વિશેષ કહેવાની જરૂર નથી. એ તત્વમાંથી ભવગો મટાડવાની ઔષધિઓ મુમુક્ષુઓ શોધી કાઢીને તેને પચાવશે તેટલા પ્રમાણમાં આવા સૂત્રગ્રંથેની, તેના અનુવાદની અને તેના પ્રકાશનની સફળતા રહેલી છે.
આ અનુવાદગ્રંથને સંકલ્પ બે વર્ષ ઉપર મારું ચાતુર્માસ અમદાવાદમાં હતું ત્યારે થયો હતો. તે સમયે મારું “પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ગુજરાતીમાં પ્રસિદ્ધ થયું હતું; પં. શ્રી બેચરદાસજીના જોવામાં તે આવ્યું હતું. ત્યારબાદ તેમના અને મારા મેળાપ સમયે મને લાગ્યું કે પંડિતજીનો એકાદ સૂત્રાનુવાદ પ્રસિદ્ધ કરવાની તક પૂજ્ય શ્રી લાધાજી સ્વામી પુસ્તકાલયને મળે તે ઠીક; શ્રી. ચુનીલાલ વ. શાહે તે વિચારને અનમેદન આપ્યું, મારા સહાયક મુનિ શ્રી લક્ષ્મીચંદ્રજી એ “રાયપણઈય સૂત્ર'નું સૂચન કર્યું અને તત્કાળ પંડિતજીએ એ અનુવાદ કરી આપવાનું સ્વીકારી લીધું. ધાર્યા ફરતાં આ અનુવાદ મે પ્રસિદ્ધ થાય છે તેનું કારણ પંડિતજીની કેટલીક વ્યાવહારિક મુશ્કેલીઓ આવે છે; પરન્તુ પંડિતજી પોતાના વિદ્યાભ્યાસ, સંશોધનશક્તિ અને પાંડિત્યનો લાભ સંપ્રદાયદષ્ટિથી મુક્ત રહી હૈ કઈને સરખી રીતે આપે છે, તે માટે તે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. ચાતુર્માસ: થાનગઢ
સદાનંદી વીર સંવત ૨૪૬૧, આસો વદી ૧૩ | જૈન મુનિ છોટાલાલજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org