________________
સાથે શાન્તિ એકરૂપ થઈ ગઈ છે, તેથી તેમનું નામ શાન્તિ પડ્યું. આ શાન્તિનો ભાવાર્થ રાગદ્વેષથી રહિત તેવો થાય. (પ૯૪)
(शान्तिना विशेष सर्थ) अन्नं पि एत्थ कारणमिमस्स नामस्स गयउरे नयरे । जार्य महंतमसिवं, खुद्दसुरकोवदोसेण ।। ५९५ ।। अन्यदप्यत्र कारणमस्य नाम्नो गजपुरे नगरे । जातं महदशिवं क्षुद्रसुरकोपदोषेण ।। ५९५ ।।
વળી આ નામ પડવાનું બીજું પણ કારણ છે. હસ્તિનાપુર નગરમાં કોઈ તુચ્છ દેવતા ગુસ્સે ભરાવાના દોષથી મોટો મારીનો ઉપદ્રવ ફાટી નીકળેલો. (५९५)
अइरादेवीउयरे, अवयरिए सोलसम्मि तित्थयरे । असिव ज्झत्ति पणहूँ, तिमिरं व समुग्गए सूरे ।। ५९६ ।। अचिरादेव्युदरेऽवतीर्णे षोडशे तीर्थकरे । अशिवं झटिति प्रणष्टं तिमिरमिव समुद्गते सूर्ये ।। ५९६ ।।
જેમ સૂર્ય ઉગે અને અંધારું નાશ પામે તેમ અચિરાદેવીની કુક્ષિએ સોળમા તીર્થંકર પરમાત્મા અવતર્યો છતે તે મારીનો રોગ તુરત જ નાશ પામ્યો. (૫૯૬)
जाया पुरम्मि संती, तत्तो तुडेण वीससेणेणं । संति त्ति कयं नामं, तिलोयचूडामणिजिणस्स ।। ५९७ ।। जाता पुरे शान्तिः ततस्तुष्टेन विश्वसेनेन । शान्तिरिति कृतं नाम त्रिलोकचूडामणिजिनस्य ।। ५९७ ।।
નગરમાં શાનિ થઈ તેથી ખુશ થયેલા વિશ્વસેન રાજાએ ત્રણે લોકને વિષે મુકુટ સમાન જિનેશ્વર ભગવંતનું “શાન્તિ” એ પ્રમાણે નામ કર્યું. (પ૯૭)
૧૭૯
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org