SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરના દશ ઉપાસકે લોકકલ્યાણકારી ધર્મ જાણીને, તેમાં જ પોતાની જાતને લીન કરી દેવી. તે બધા કામભેગો એવા છે કે, એક વખત તેમને પરિચય કર્યા બાદ મહાકષ્ટ પણ તે તજી શકાતા નથી. તેમાં પણ સામાન્ય સંસારી જીવો માટે તે તે તજવા અશક્ય જ છે. મહાવ્રત જેવાં સુંદર વ્રતે અશુદ્ધ પાળનારા કેઈ વિરલ સાધુ પુરુષે જ તે દુસ્તર ભેગોને, વેપારી વાણિયા જેમ દુસ્તર સમુદ્રને પાર કરી જાય છે, તેમ તરી જાય છે.” ભગવાનનું પ્રવચન સાંભળી, સુરદેવે પણ આનંદ ઉપાસકની પેઠે હુષ્ટ, તુષ્ટ, અને પ્રસન્ન થઈ, ભગવાન પાસેથી બાર પ્રકારને ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો. ત્યાર બાદ શ્રમણોપાસક સુરાદેવ શ્રાવકધર્મને યથાયોગ્ય પાળતે અને જૈન સાધુને ભિક્ષાદિ આપતો રહેવા લાગ્યા. એમ કરતાં કરતાં, અણુવ્રત ગુણવ્રત વગેરે પાળતાં પાળતાં તેનાં ૧૪ વર્ષ ચાલ્યાં ગયાં. પછી પંદરમા વર્ષને વચગાળે તેણે પણ મહાવીરભગવાન પાસેથી જાણેલા ધર્મમાર્ગને ઝંઝટ વિના બરાબર અનુસરી શકાય તે માટે પિતાના મોટા પુત્રને બધાં જ્ઞાતિ-સ્વજનની રૂબરૂમાં બધે વ્યવહારભાર સેંપી, પૌષધશાળામાં રહેવા માંડ્યું. [૧૪] એક વખત, મધ્યરાત્રીએ, એક દેવે સુરાદેવને તેના વ્રતમાંથી ચળાવવા માટે, ઉઘાડી તરવાર સાથે આવી, તેના ત્રણે પુત્રને ઘેરથી પકડી લાવી, તેના દેખતાં જ તેમને વધ * ઉત્તરાધ્યયન અ૦ ૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy