SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ २८ સંપ્રદાય પરત્વે એ ત્રા ખાસ છે, પેાતાના સંપ્રદાયના સાધુસંતાને આદરપૂર્વક સહાય કરવી એ તે યથાયેાગ્ય છે જ. પરંતુ ભિન્નધમી ઓની સેવા કરવામાં કશો વાંધો ન હોવા જોઈ એ. ઊલટુ' અહિંસાધની પ્રતિષ્ઠા એમાં રહેલી છે કે ભિન્નધમી એ પર પેાતાના ધર્માની ઉદારતા, અને સહિષ્ણુતાની છાપ પડવી જોઈએ; અને પોતાના ધર્મોનું શ્રેષ્ટત્વ વાદ દ્વારા નહિ પણ આપણી આવૃત્તિ દ્વારા સિદ્ધ થવું જોઈ એ. પણ કેવળ શંકા, કાંક્ષા કે વિચિકિત્સાને લીધે મનને માણસ ડામાડાળ સ્થિતિમાં રાખે, પેાતાની માન્યતાઓમાં અસ્થિર રહે અને પેાતાના ધર્માચરણના ફળ વિષે અવિશ્વાસ કેળવે અને એ રીતે નવા નવા સંપ્રદાયના સાધુએને મેલાવી રાજ અસ્વસ્થ થાય, એ જાતના પરપાખંડસ્તવ નિંદ્ય જ કહેવાય. પરંતુ પરધીએ સાથે વાતે પણ ન કરવી, તેમને ખાવાપીવાનુંય ન આપવું, એ બધું તે! જનવૃત્તિથી વિરુદ્ધ છે. સુરાળ, કાઠાળી, તલવાર આદિ પ્રહારનાં સાધનેથી સંયુક્ત ન રહેવું એ અનદંડત્યાગનું એક લક્ષણ આજે આપણું ધ્યાન વધારે ખેંચે એવું છે. યુરોપ અમેરિકામાં disarmament-શસ્ત્રસન્યાસની હિલચાલ ચાલે છે તેનું જ તત્ત્વ એની પાછળ રહેલું છે. હાથમાં શસ્ત્ર આવે એટલે હિંસા કરવાનું મન થવાનું જ. જૈન ધર્મમાં પ્રતિક્રમણ અને આલેચનની પ્રથા છે તે પણ દરેક મનુષ્યે સ્વીકારવા જેવી છે. પેાતાનાં પાપે એકવાર યાદ કરવાં અને તેમને માટે પ્રાયશ્ચિત્ત કરવું એ જ એક ઉન્નતિના માર્ગ છે, આવું માનસિક સ્નાન કર્યા પછી જ સમભાવ કેળવવાનું સામાાંયક વ્રત પાર પાડી શકાય. દત્તાત્રેય મલકૃષ્ણ કાલેલકર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy