SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાના ખાનપાન ઉપર અંકુશ રાખવો, ઓઢવા પાથરવા તથા કપડાંલતાંની બાબતમાં આકરી મર્યાદા બાંધી દેવી, ધર્માધર્મનો વિચાર કરીને જ ધંધે પસંદ કરવો, સંપત્તિ આદિના સંગ્રહ માટે પણું પરિમાણ નક્કી કરવું, જેટલી સાદાઈ જીવનમાં દાખલ કરાય તેટલી કરવી, ભોગસેવન, ધંધે, મુસાફરી, ઇત્યાદિ પ્રવૃત્તિઓ ઓછી કરવા તરફ વલણ રાખી ક્યાંક એની મર્યાદા સ્પષ્ટપણે બાંધી રાખવી. એક અંગ્રેજ લેખક કહે છે તેમ Nothing relieves and ventilates the mind like resolution. 2467 resolution એટલે વ્રત સમજવું. આપણું મન હંમેશ સ્થિર અને વિવેકી નથી હોતું; તેથી દરેક પ્રલોભન વખતે વિચાર કરવા બેસવા કરતાં શાંત સમયે સમગ્ર વિચાર કરી કેટલાંક વ્રતો લઈ રાખ્યાં હોય, તો મનને સ્વાભાવિક મજબૂતી મળે છે અને શાન્તિ રહે છે. માનસિક શક્તિનો સંગ્રહ કરવાને આ ઉત્તમ ઉપાય છે. વ્રત લીધા બાદ પણ તેમનું સ્મરણ તાજું રાખવું જોઈએ; અને એ બધું આત્માનો અનાત્મા ઉપર વિજય સાધવા માટે છે એ ધ્યાનમાં રહે એટલા ખાતર, માણસે રેજ અર્ધો પોણો કલાક શાન્ત બેસીને સમભાવ કેળવવો જોઈએ; કે જેથી વિકારો શમી જાય અને બધા જીવો પ્રત્યે મિત્રીભાવ બંધાય. આ મૈત્રીભાવ અથવા સમભાવ કેવળ મનમાં રહે છે તેની કિમત કેટલી? માણસને પોતાની ઓછામાં ઓછી જરૂરિયાત કરતાં વધારે રાખવાને હક જ નથી; એવી સ્થિતિમાં માણસ પરિગ્રહ રાખે જ, તો એણે એવી વસ્તુનો ઉપભોગપરિભોગ, ઇષ્ટમિને સાથે રાખીને અને જે ઈષ્ટીમત્ર નથી એવા અતિથિઓનો પણ ભાગ રાખીને પછી જ કરો; જેથી સંપત્તિ શાપરૂપ ન નીવડે અને પ્રજામાં અસૂયા ન ફેલાય. માણસ પાસે શક્તિ છે એટલા ખાતર માણસ ગમે તેટલે ઉપભોગ કરે એ જેમ ખોટું છે, તેમ સાધન સગવડ છે એટલા ખાતર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy